સુખદુ:ખ મન:સ્થિતિ ઉપર નિર્ભર :
September 18, 2008 Leave a comment
સુખદુ:ખ મન:સ્થિતિ ઉપર નિર્ભર :
જેવા આપણે છીએ તેવો જ આપણો સંસાર હશે. જો આપણે સુખી છીએ તો આપણો આખો સંસાર સુખી છે અને આપણે દુ:ખી છીએ તો આપણને આખો સંસાર પછી ભલેને તે સુખમય હોય દુ:ખમય જ દેખાશે.
આ બધું આપણી મનોદશા ઉપર જ આધાર રાખે છે. જો આપણે દુ:ખમાં પણ સુખનો અનુભવ કરીશું અને વિચારીશું કે આ આપણને ફકત આપણા જીવન સ્તરની સીડીઓ પર ચઢવા હેતુ પરીક્ષા માટે જ મળ્યું છે તો આપણને દુ:ખની છાયા પણ અડકી નહીં શકે. જ્યારે આપણે આ પ્રકારનો અનુભવ કરવા લાગીશું તો વાસ્તવમાં આપણે દુ:ખને સુખમાં બદલી શકીશું અને અધ્યાત્મ તત્વની તરફ આગળ વધીને બીજાનાં દુ:ખને પણ સુખમાં બદલી શકીશું.
આવું કરવા માટે આપણને ત્યાગ અને તપસ્યાની જરૂર પડે છે જેની પ્રતિક્રિયા આપણા આત્મા ઉપર થાય છે. જો આપનો આત્મા આ બધાને સહન કરી લે તો વાસ્તવમાં આપણામાં એક આધ્યાત્મિક શક્તિનો વિકાસ થયો છે. જેનું નિર્માણ આપણે આપણા વિચારોથી કરીએ છીએ. આજે આપણે જે કોઈ પરિસ્થિતિમાં કેમ ન હોઈએ આપણા દ્રષ્ટિકોણને બદલવો પડશે તથા આપણા વિચારોને કાયમ પ્રસન્નતા, આશા, શાંતિ, શક્તિ અને પ્રયત્નની તરફ લઈ જવા જોઈએ. જે સમયે તમે આવું કરવા લાગશો તો જોઈ શકશો કે તમારું જીવન એકદમ પ્રસન્નતા, શાંતિ, શક્તિ વગેરે ગુણોથી આભૂષિત થતું નજરે પડશે.














પ્રતિભાવો