સુવિચાર :
September 29, 2008 Leave a comment
જ્ઞાનરૂપી આ ગંગા પાસેથી આપણે કંઈક શીખીએ.
ડગળાંની યથાર્થતા શોધીએ, સફળતા તપાસીએ અને
જેમાંથી જેટલો થઈ શકે તેટલો અનુકરણ
અને અનુગમનનો પ્રયાસ કરીએ.
આ નફાનો સોદો છે, નુકસાનનો નહિ.
————–
લાંબા સમય સુધી વાસ્તવિકતાને છુપાવી શકાતી નથી
વ્યક્તિત્વમાં એટલાં બધાં છિદ્રો હોય છે કે
તેમાંથી નીકળતી ગંધ બીજા લોકો સુધી પહોંચી જ જાય છે.
તેથી કમજોરીઓ અને ગંદકી પર પડદો ન પાડતાં
તેમને દુર કરવાના તથા સફાઈના પ્રયાસોમાં
લાગી જવું જોઈએ.
—————-
ચિંતા નહિં, વિચાર કરો,
આખો દિવસ ચિંતા કરવા છતાં કશું હાથમાં નહિં આવે.
જ્યારે પણ સમસ્યાનું સમાધાન થયું છે
તે યોગ્ય રીતે વિચાર કરવાથી જ થયું છે.














પ્રતિભાવો