સુવિચાર :-
October 2, 2008 Leave a comment
આપણે યશ કરતાં
ચરિત્રને નિર્મળ બનાવવા વિશે વિચારવું જોઈએ.
ચરિત્રવાન અને નૈતિક પુરુષોનો યશ
તો ફૂલોની મહેકની જેમ ફેલાય છે.
—————-
જયારે પાણીનું દબાણ વધાઅરે હોય છે
ત્યારે ઝરણાં અને નદીઓ તીવ્ર વેગે વહે છે.
એમની લહેરો ઊછળતી, કલકલ નિનાદ કરતી અને
હિલોળા લેતી ચાલે છે. પાણીનું દબાણ ન હોય તો
જલધારા મંદ થઈ જાય છે.
એટલું જ નહિ, તે નિર્જીવ દેખાય છે.
મહામાનવો અને સામાન્ય
વ્યક્તિઓમાં આ જ ફરક છે.
————–
શરીર ક્રિયાશીલતા છોડી દે તો મૃત્યુ છે.
સૃષ્ટિનાં કાર્યો અટકી જાય
તો પ્રલય છે અને
મનુષ્ય કર્તવ્ય છોડી દે તો તેનું પતન છે.














પ્રતિભાવો