સુવિચાર
October 13, 2008 Leave a comment
જીવન સ્થિર નથી.
તેની સાથે જોડાયેલા સગવડોનું કોઈ ઠેકાણું નથી.
હસતું બચપણ ભારરૂપ યુવાની તરફ આગળ વધતું
છેવટે કણસતા વૃદ્ધત્વમાં ફેરવાઈ જાય છે.
સંપત્તિએ કોને સાથ આપ્યો છે?
મિત્રો અને મદદકર્તાઓ પાણીના પરપોટાની જેમ
સમયની સાથે અદ્રશ્ય થઈ જાય છે.
સ્થિર છે તો માત્ર ધર્મ અને ઈશ્વર.
જેમની સ્થિરતાને, સુંદરતાને સંસારનું કોઈ તોફાન
ડગમગાવી શકવામાં સમર્થ નથી.
માનવીએ વેળાસર ધર્મ અને ઈશ્વરનું શરણું લેવું જોઈએ.
ભવિષ્યનો વિશ્વાસ કરશો નહિ,
તે ભલે ગમે તેટલું સુખદ લાગતું હોય.
મૃત ભૂતકાળને તેનાં મડદાં દફનાવવા દો.
જીવંત વર્તમાનમાં કાર્ય કરો.
મનમાં સાહસ અને ઈશ્વરમાં વિશ્વાસ રાખો.














પ્રતિભાવો