અંદરના શેતાનને કાઢો
October 14, 2008 Leave a comment
સ્મરણની જેમ વિસ્મરણ પણ મનુષ્યના સ્વભાવ સાથે જોડાયેલું છે, પરંતુ એ દુર્ગુણ આપણા આત્મગૌરવને, ઓજસ, તેજસ અને વર્ચસને ભુલાવી દે એટલી હદે પહોંચી જાય તેને શું કહેવું? આજે કંઈક આવું જ સંમોહન-વશીકરણ કોઈ શેતાન દ્વારા કરી નાખવામાં આવ્યું છે, જેનાથી વ્યક્તિ પોતાને હતાશ, દીન, દુર્બળ, અસહાય, અભાગી વગેરે માની લે છે. જો તેને પોતાની જીવનશક્તિ પર વિશ્વાસ હોત, તો ગમે તેવી મુશ્કેલીઓને પડકાર ફેંકી અત્યાર સુધીમાં તો ન જાણે ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત.














પ્રતિભાવો