ઈમાન અને ભગવાન આપણા ઈષ્ટ બને
October 30, 2008 Leave a comment
ઈમાન અને ભગવાન આપણા ઈષ્ટ બને
મૂઢ માન્યતાઓમાં ફસાયેલા, અનાચારોથી ટેવાયેલા, કુચક્ર અને ષડયંત્રોમાં રચ્યાપચ્યા રહેતા લોકોને આપણા સલાહકાર ન બનવા દેવાય. તેમને સંચાલક કે નેતા પણ ન બનાવી શકાય. ભલે પછી પોતાની ચતુરતાને કારણે મોટા લોકોમાં તેમની ગણતર થતી હોય. કોઈ બ્રાહ્મણ વંશમાં જન્મ્યો હોય, સાધુનો વેશ ધારણ કર્યો હોય, વધારે ભણ્યો હોય કે પછી કોઈ પદાધિકારી બની ગયો હોય. આમાંથી એક પણ કારણ એવું નથી કે જેથી તેને નીતિ નિર્ધારક માની શકાય. આ અજ્ઞાન તથા અંધકારભર્યા, અનાચારી, દુરાગ્રહી વાતાવરણમાં આપણે સમુદ્રમાં ઊભી રહેલી દીવાદાંડીની જેમ એકલા ઊભા રહેવું જોઈએ. અંદરની ઈમાનદારી અને બહારના ભગવાન – આ બે ને જો મજબૂત રીતે પકડી રાખીને વિવેક તથા ઔચિત્ય રૂપી બંને પગને આગળ વધારતાં લક્ષ્ય તરફ એકલા આગળ વધીએ એમાં જ સાચું શૌર્ય અને પરાક્રમ છે. ભલે પછી લોકો ઉપહાસ કરે કે અસહયોગી તથા વિરોધી વલણ અપનાવે.














પ્રતિભાવો