અધ્યાત્મમાં “શોર્ટકટ” નથી.
November 8, 2008 Leave a comment
અધ્યાત્મમાં “શોર્ટકટ” નથી.
અધ્યાત્મમાં શોર્ટકટ શોધવાની ઉતાવળ કોઈએ પણ ન કરવી જોઈએ. માથા પર હાથ મૂકીને કુંડલિની જગાડનારા, આંખો બંધ કરીને ભગવાનનાં દર્શન કરાવનારા, મંત્રતંત્રના બદલામાં રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરાવનારા લોકોથી દૂર રહો. લાંચ, ખુશામત દ્વારા ભગવાનને છેતરવાની તથા પટાવવાની તુક્કાબાજી જેટલી જલદીથી ખતમ થઈ જાય તેટલું ઉત્તમ છે. એમાં કપટજાળ સિવાય વાસ્તવિકતાનું નામનિશાન પણ નથી.














પ્રતિભાવો