વરિષ્ઠતાની કસોટી
November 13, 2008 Leave a comment
વરિષ્ઠતાની કસોટી
વરિષ્ઠ તેઓ કહેવાય, જે પોતાની સમસ્યાઓનું સમાધાન પોતે જ કરી શકે. સાથેસાથે બચેલી શક્તિનો ઉપયોગ બીજાઓને ઉગારવામાં કરી શકે. મહત્વ તેનું જ છે. નદીના પ્રચંડ પ્રવાહને પડકાર ફેંકનાર નાવિક ન હોય તો ભયાનક આફતમાં લોકો નદી કિનારે અસહાય ઊભા બનીને રહે છે.
પુરૂષાર્થ તે નાવિકનો છે, જેની માંસ પેશીઓ હલેસાંને બંને હાથે પકડીને નાવમાં બેઠેલાને પાર ઉતારવાનું વિશ્વાસભર્યુ અભયદાન આપે છે. પાર ઊતારવા માટે વ્યાકુળ એવા મોટા ટોળાની તુલનામાં એક નાવિક શ્રેષ્ઠ છે. ભગવાન કોઈને ભલે સંપન્નતા આપે, પણ જો તેની પર સાચી અનુકંપા વરસાવે તો તેને એક નાવિક જેવી વરિષ્ઠતા પ્રદાન કરે છે.














પ્રતિભાવો