સુવિચાર :
June 5, 2009 Leave a comment
આજનું ચિંતન
વિચારો આ૫ને કહે છે કે અમને મનના કેદખાનામાં જ પૂરી રાખીને મારી નાખશો નહિ, ૫રંતુ શરીરનાં કાર્યો ઘ્વારા જગતમાં આવવા દો.
મનુષ્ય ઉત્તમ લેખક, યોગ્ય વકતા, ઉચ્ચ કલાકાર અને તે જે બનવા ઈચ્છે તે સફળતાપૂર્વક બની શકે છે, ૫રંતુ એક જ શરતે. તે એ કે પોતાના શુભ સંકલ્પોને કાર્યાન્વિત કરી દે. તેમને મહેનત દ્વારા, પ્રયત્નો દ્વારા, પોતાના સામર્થ્ય દ્વારા સાકાર કરે.
શુદ્ધ વિચારોની ઉ૫યોગિતા ત્યારે જ પ્રગટ થશે, જયારે અંતઃકરણનાં ચિત્રોને શરીરનાં કાર્યો દ્વારા કાર્યાન્વિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે.














પ્રતિભાવો