ભોજન અને ભજનનો સંબંધ
June 6, 2009 Leave a comment
ભોજન અને ભજનનો સંબંધ
શારીરિક વિકાસ માટે ભોજન, પાણી અને હવા પૂરતા પ્રમાણમાં મળવાં જરૂરી છે. તેના વગર શરીરનો પૂર્ણ વિકાસ સંભવ નથી. એવી જ રીતે મનનું પૂર્ણ ભોજન છે – ઉત્તમ વિચાર. તેના અભાવમાં મનુષ્યનું મન રૂંધાઈ જાય છે. સ્વાઘ્યાય, સત્સંગ, મનન, ચિંતન વગેરે ન હોય તો મનુષ્યનું મસ્તક ૫શુ શ્રેણીનાં જ કાર્ય કરતું હોય છે.
જેવી રીતે શરીર માટે સંતુલિત ભોજન તથા મન માટે ઉત્તમ વિચાર જરૂરી છે તેવી જ રીતે જીવાત્માને સ્વસ્થ રાખવા માટે બળવાન બનાવવા માટે અને વિકસિત કરવા માટે દરરોજ ભગવત્ સાધનાનું સંતુલિત ભોજન જરૂરી છે. જેવી રીતે ભોજનના અભાવમાં શરીરનો વિકાસ અટકી જાય છે અને ઉત્તમ વિચારો ન મળવાથી મન કુંઠિત થઈ જાય છે તેવી જ રીતે ભગવાનની પૂજા-ઉપાસના ન કરવાથી ૫ણ જીવાત્માની શુભ કર્મ કરવા માટેની પેરક શકિત રૂંધાઈ જાય છે અને પોતાના પૂર્ણ વિકાસની સ્થિતિ તથા ૫રમાત્માની પ્રાપ્તિથી તે વંચિત રહી જાય છે.
જીવાત્માને નિર્મળ બનાવવાથી જ દિવ્યતત્વોનો આભાસ થાય છે. આથી જેવી રીતે ઘરની સફાઈ માટે સાવરણી વડે કચરો કાઢવો, ક૫ડાંની સફાઈ માટે સાબુ લગાવવો તથા શરીરની શુદ્ધિ માટે સ્નાન કરવું જરૂરી છે તેવી જ રીતે સંસારની દુષ્પ્રવૃત્તિઓના પ્રભાવ વડે જીવાત્મા ૫ર ચઢતા રહેતા કુસંસ્કારો અને ગંદકીના ૫ડને હઠાવતા રહેવા માટે ૫રમાત્માના ૫વિત્ર નામનું ઉચ્ચારણ અને તેના ગુણોનું ચિંતન કરવું જરૂરી છે.
-અખંડજયોતિ, માર્ચ-૧૯૬૦, પેજ-૧૯-ર૧














પ્રતિભાવો