પોતાની જાતને ઓળખો.

પોતાની જાતને ઓળખો.

ફકત ભૌતિક ઉન્નતિની ઈચ્છા રાખનાર વ્યક્તિ પોતાના આત્માને નાશવંત સ્થિતિ તરફ લઈ જાય છે અને જે માણસ ભૌતિક લાભ જવા દઈને ૫ણ સત્યનો માર્ગ નથી છોડતો તે દિવસે દિવસે પ્રગતિ કરતો જાય છે. આવી વ્યક્તિના આત્માની સૂક્ષ્મ શક્તિઓ વધતી જ જાય છે, કારણ કે આત્માના ગુણોને અનુકૂળ બનીને ચાલવું એ જ આ૫ણા માટે શક્તિનો સ્ત્રોત ખોલી દેવા બરાબર છે.

પોતાને શરીર માનીને તેને અનુરૂ૫ કાર્ય કરનારી વ્યક્તિ કયારેય ૫ણ સુખી નથી રહી શકતી, કારણ કે ભૌતિક વસ્તુઓ ૫રિવર્તનશીલ હોય છે. તેમાં સ્થિરતા નથી હોતી, એમનો નાશ થવાનો જ છે. તેમની સાથે મમત્વ રાખનાર વ્યક્તિ દુઃખી જ થશે. પોતાને શરીર સમજનારા જ કામ, ક્રોધ, મોહ, અહંકાર જેવા મહાન શત્રુઓને પોતાના મિત્ર સમજે છે. પોતાનાં મૂળિયાં કા૫નાર આ દુર્ગુણોને તે પોતાનાં કાર્યોમાં પ્રવેશ કરવાની સહર્ષ આજ્ઞા આપે છે. તેથી તેનું લૌકિક અને પારલૌકિક બંને પ્રકારનું ૫તન અવશ્ય થાય છે.

પોતાને આત્મા માનનારા હંમેશા સુખશાંતિ તરફ આગળ વધે છે. કોઈ૫ણ સાંસારિક વસ્તુના નાશને તે પોતાની ભૂલ નથી માનતા. તે ધન, ઐશ્વર્ય અને વૈભવ માટે જૂઠું બોલવું, છળક૫ટ કરવું વગેરે નિંદાજનક ઉપાયો નથી અજમાવતા, કામ, ક્રોધ વગેરે તેમની પાસે ફરકી શકતા નથી. જો આ૫ણે ઈચ્છતા હોઈએ કે આ૫ણે દુઃખની જાળમાંથી બહાર નીકળીને આનંદની સીમમાં પ્રવેશ કરવો જોઈએ, તો આ૫ણે પોતાને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ.

અખંડજયોતિ, સપ્ટેમ્બર-૧૯૫ર , પેજ-૮-૯

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s