આત્મનિયંત્રણની શક્તિ

આત્મનિયંત્રણની શક્તિ

નૈતિકતાનો હેતુ મનુષ્યને પોતાના વિશાળ સ્વભાવનું જ્ઞાન કરાવવાનો છે. નૈતિકતા પોતાની જાતને વ્યક્તિગત જીવનથી ઊંચે લઈ જવાનું સાધન છે. નૈતિકતાનો આધાર સ્વાભાવિક પ્રવૃત્તિઓને માનવામાં આવે છે. પ્રકૃતિવાદી લોકો મનુષ્યના આચરણને બીજાં પ્રાણીઓના આચરણથી અલગ ગણતા નથી. જે રીતે બીજા પ્રાણીઓના આચરણનો મુખ્ય સ્ત્રોત તે પ્રાણીઓની સુખની ઈચ્છા અને દુઃખથી બચવુ તે છે, એ જ રીતે મનુષ્યના આચરણની મુખ્ય પ્રેરણા સુખની ઈચ્છા અને દુઃખથી બચવું તે જ હોય છે. આ રીતે મનુષ્યના આચરણને સમજવું તે મનુષ્ય સ્વભાવની વિશેષતાને નજર અંદાજ કરવા બરાબર છે. મનુષ્ય વિવેકશીલ પ્રાણી છે. મનુષ્યનો વિવેક તેના વ્યક્તિત્વનો વિકાસ કરે છે. વિવેકને લીધે મનુષ્ય બીજી વ્યક્તિઓના સુખમાં પોતાનું સુખ જુએ છે અને તે પોતાની જાતને ત્યાં સુધી પૂર્ણ નથી અનુભવતો કે જયાં સુધી બીજા લોકોને તેનાથી લાભ ન થાય.

૫શુઓમાં પોતાના ગુસ્સાને રોકવાની શક્તિ હોતી નથી એને મન જે તરફ લઈ જાય છે એટલે કે જે તરફ તેની મૂળ પ્રવૃત્તિઓ પ્રેરણા આપે છે તે તરફ જવા લાગે છે. મનુષ્ય પોતાની જાતને રોકી શકે છે. તે જન્મજાત સ્વભાવથી વિ૫રીત વર્તન ૫ણ કરી શકે છે. તે પોતાના અંગત સ્વાર્થનો ત્યાગ કરીને ૫રમાર્થના કાર્યમાં પોતાની જાતને જોડી શકે છે. નૈતિકતાનો આધાર મનુષ્યની આ આત્મ નિયંત્રણ શક્તિ જ છે.

-અખંડજયોતિ, ઓગષ્ટ-૧૯૫૮, પેજ-૧૫

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s