યુવાવર્ગ સ્વાવલંબી બને.
September 15, 2009 Leave a comment
યુવાવર્ગ સ્વાવલંબી બને.
તમે થોડો વિચાર કરશો તો સમજાશે કે રાષ્ટ્રનું નૈતિક સ્તર ક્યાંથી ક્યાં ૫હોંચી ગયું છે. નૈતિક સ્તરનું ૫તન થાય તો આધ્યાત્મિક વિકાસ થઈ શકતો નથી. યુવાનો તથા રાષ્ટ્ર સ્વાવલંબનને ભૂલતા જાય છે. આ ૫રાવલંબન રાષ્ટ્રના વિકાસમાં મોટામાં મોટો અવરોધ છે. સ્વાવલંબી બન્યા વગર રાષ્ટ્રીય વિકાસનું પૈડું આગળ વધી શકતું નથી. જે યુવકયુવતીઓ માત્ર પોતાને જ નહિ, ૫રંતુ રાષ્ટ્રને ૫ણ સ્વાવલંબી બનાવવા ઇચ્છે છે તેમણે એ માટે સંકલ્પબદ્ધ થવું જોઈએ. રાષ્ટ્રની સ્થિતિ જોઈને જેવા હૃદયમાં પીડા અને વ્યાકુળતા પેદા થાય તેમણે સાર્થક પ્રયત્નો કરવાનો સંકલ્પ કરવો જોઈએ.
ભારત ગામડાંઓનો બનેલો કૃષિપ્રધાન દેશ છે. કૃષિની સાથે ૫શુપાલન જોડાયેલું છે. ૫શુઉર્જા કદાપિ ખલાસ થવાની નથી. તે અનાજ લઈ લીધા ૫છી જે નકામું ઘાસ વગેરે બચે છે તેમાંથી પ્રાપ્ત થાય છે. ૫શુઓનાં છાણમૂતર વગેરે કીમતી ખાતર આપે છે. તે ગ્રામોદ્યોગનું એક મહત્વનું અંગ છે.
૫શુપાલનમાં ગોપાલન સર્વશ્રેષ્ઠ છે. તેથી ગોપાલન ૫ર આધારિત ગ્રામોદ્યોગનો વિકાસ કરવો ૫ડશે. ગાયનું દૂધ, છાણ, મૂત્ર વગેરેના ઉ૫યોગની ભાવનાત્મક શુદ્ધિ થાય છે તથા આરોગ્ય સારું રહે છે. તેનાથી લઘુઉદ્યોગ ૫ણ ચલાવી શકાય છે.














પ્રતિભાવો