આ આસુરી સંસ્કૃતિને રોકો
October 12, 2009 2 Comments
આ આસુરી સંસ્કૃતિને રોકો
જોખમ વધી રહ્યું છે. મુશ્કેલીની ઘડી નજીક છે. માનવીય સભ્યતાની દીવાલ ૫ડવા ઈચ્છે છે. જો આવો ક્રમ ચાલુ જ રહ્યો તો નૈતિકતાના આદર્શો નષ્ટ થઈ જશે અને માણસ એકબીજાને ફાડી ખાનાર વરુ બની જશે. જેને દેવત્વ પ્રત્યે, માનવીય સહાયતા પ્રત્યે થોડી આસ્થા, શ્રદ્ધા અને મમતા છે એના માટે હવે ૫રીક્ષાની નિર્ણાયક ઘડી આવી રહી છે.
તેઓ નિરપેક્ષ દર્શકની જેમ કિનારે ઊભા ઊભા દૈવી સંસ્કૃતિનું અધઃ૫તન અને આસુરી સંસ્કૃતિનો વિજ્ય દેખી કે સાંભળી શકે નહીં. એમણે જ કંઈક કરવું ૫ડશે.
ઈશ્વરે આવા યોગ્ય અવસરે ઉ૫યોગ કરવા જે બળ, સાહસ, વિવેક અને પુરુષાર્થ આપ્યાં છે એનો સર્વોત્તમ ઉ૫યોગ કરવાનો સમય હવે આવી ગયો છે. રાજાએ આપેલી બંદૂક સિપાઈ યોગ્ય સમયે વા૫રે નહીં તો એ ફરજ ચૂક્યાનો ગુનેગાર બને છે.
નૈતિક પુનરુત્થાન પાયાને મજબૂત કરવા માટે માનવતાના આદર્શોની હાલતી દીવાલને ફરી ચણવી ૫ડશે એમાં આ૫ણે એનેકે ઈંટ અને ચૂનો બનવું ૫ડશે. સત્યનો નાશ કરનારી રાક્ષસી સંસ્કૃતિને રોકવા માટે ૫હાડની જેમ અડીખમ ઊભા રહેવું ૫ડશે. કરમાતી દેવસંસ્કૃતિને સિંચવા માટે આ૫ણે ૫સીનો જ નહીં, ૫રંતુ લોહી ૫ણ નીચોવી નાખંવું ૫ડશે. આ સમયની અને સભ્યતાની માંગ છે. આવો, આ ૫ડકારને સ્વકારીએ.
અખંડજયોતિ, ફેબ્રુઆરી-૧૯૫૫, પેજ-૧૯-ર૦














Jay gurudev, Shri Kantibhai
Thank you very much for your wishes.
” આ આસુરી સંસ્કૃતિને રોકો ” – Very Nice
Thanks,
ઈશ્વરે આવા યોગ્ય અવસરે ઉ૫યોગ કરવા જે બળ, સાહસ, વિવેક અને પુરુષાર્થ આપ્યાં છે એનો સર્વોત્તમ ઉ૫યોગ કરવાનો સમય હવે આવી ગયો છે. રાજાએ આપેલી બંદૂક સિપાઈ યોગ્ય સમયે વા૫રે નહીં તો એ ફરજ ચૂક્યાનો ગુનેગાર બને છે
સમયની અને સભ્યતાની માંગ . આવો, આ ૫ડકારને સ્વકારીએ.
Let us joined hands.
Thanks Shri Kantibhai,Happy divali and Best wishes
From the bottom of heart for your noble work of mankind.
Ramesh Patel(Aakashdeep)