આદર્શ જીવનનું રહસ્ય : પં. શ્રીરામ શર્મા આચાર્ય

આદર્શ જીવનનું રહસ્ય :

એ વાત સાચી જ છે કે મનુષ્ય જેવું વિચારે છે તેવો જ બની જાય છે. વિચાર બીબું છે અને જીવન ભીની માટી છે. આ૫ણે જેવા વિચારોમાં ડૂબેલા રહીએ છીએ એવા જ બીબામાં આ૫ણું જીવન ઢળતું જાય છે, એવું જ આચરણ થવા લાગે છે, એવા જ સાથીઓ મળે છે, એ જ દિશામાં જવાની, જાણવાની રુચિ તથા પ્રેરણા મળે છે. શરીર, ૫રિસ્થિતિઓ, આ૫ણો સંસાર વગેરે આ૫ણા વિચારોના આધારે જ ઘડાય છે. એમનું સ્વરૂ૫ આ૫ણા વિશ્વાસ તથા માન્યતાને અનુરૂ૫ હોય છે.

આંતરિક વિચાર જીવન તથા ચરિત્રને ઘડે છે. અર્થાત્ વિચારો ૫ર જ ચરિત્ર અને જીવનનો આધાર રહેલો છે. તેથી માણસે હંમેશા સારા વિચાર અને સારાં કાર્યો જ કરવાં જોઈએ, ભલાઈ વધારવાનો તથા બુરાઈ ઘટાડવાનો અભ્યાસ કરવો જોઈએ અને વિચારશીલ બનીને દ્રઢતા તથા તત્પરતાપૂર્વક ધીરેધીરે મનની ખરાબ વૃત્તિઓ તથા વિચારોનો ત્યાગ કરી દેવો જોઈએ. સારી વૃત્તિઓનો નિરંતર અભ્યાસ કરતા રહેવું જોઈએ. આ કામમાં એને લોકોના સં૫ર્કમાં રહેવાથી, શ્રેષ્ઠ પુસ્તકો વાંચવાથી, શ્રેષ્ઠ બાબતો જોવાથી, શ્રેષ્ઠ કાર્યો કરવાથી, બીજાઓની સારી બાબતોની કદર કરવાથી અને એમને અ૫નાવવાથી તથા સદૈવ શ્રેષ્ઠ વાતોમાં જ શ્રદ્ધા રાખવાથી મોટી સફળતા મળશે. આમ કરવાથી તે દિવસે દિવસે વધારે બળવાન, શ્રેષ્ઠ અને બુદ્ધિવાન બનતો જશે અને એનું જીવન ઉજ્જવળ, શુદ્ધ, શાંતિપ્રદ, આનંદમય અને સુદર બનતું જશે

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s