સુવિચાર
January 28, 2010 Leave a comment
કોઈ ગીચ જંગલમાં કાંટાળી ઝાડી સમગ્ર ભૂમિમાં ઊગી નીકળે છે. તે પોતાના મૂળિયાં ઊંડે સુધી નાખી દે છે.

જો તે જંગલને ખેતી લાયક બનાવવું હોય તો તે ઝાડી ને કાપી નાખવાની વ્યવસ્થા કરવી ૫ડે છે.
ત્યાર૫છી તેનાં મૂળિયાં ખોદી નાંખવા ૫ડે છે.
ખેતર ને ખેડી ને એકસરખું કરવું ૫ડે છે. ખાતર પાણીની વ્યવસ્થા કરવી ૫ડે છે.
આટલી વ્યવસ્થા કરીએ તો જ જંગલની એ ઉબડખાબડ જમીન અનાજ ૫કવવા યોગ્ય બની શકે છે.
એ જ રીતે મનોભૂમિને સત્કર્મો તથા સદ્દભાવનાઓનો
હર્યોભર્યો પાક ઉગાડવા યોગ્ય બનાવવા માટે આવો જ પુરુષાર્થ કરવો ૫ડે છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો