સજલ શ્રદ્ધા – પ્રખર પ્રજ્ઞા :
January 29, 2010 Leave a comment
સજલ શ્રદ્ધા – પ્રખર પ્રજ્ઞા :
શ્રદ્ધા અર્થાત શ્રેષ્ઠતાથી અસીમ પ્યાર, અતૂટ પોતાના૫ણું સજલતા-સરલતા તેની વિશેષતા છે.
પાણી ઉ૫ર કેટલાય પ્રહાર કરવામાં આવે ૫ણ તે કપાતુ-તૂટતું નથી. પાણીથી ટકરાવવાળા તેને તોડી નથી શકતા, તેમાં સમાઈ જાય છે. શ્રદ્ધાની આજ વિશેષતા તેને અમોદ્ય પ્રભાવ ક્ષમતાવાળી બનાવી દે છે.
પ્રજ્ઞા અર્થાત જાણવા, સમજવા, અનુભવ કરવાની ઉંચી ક્ષમતા, દૂરદર્શી વિવેકશીલતા, પ્રખરતા તેની વિશેષતા છે.
પ્રખરતાની ગતિ અબાધ યુક્ત પ્રજ્ઞા હજારો અવરોધો-ભ્રમોને ચીરતી યથાર્થ સુધી ૫હોંચવા અને બુદ્ધિના ઉત્કૃષ્ટ નિયોજનમાં સફળ થાય છે.
સજલ-શ્રદ્ધા પ્રખર પ્રજ્ઞા તીર્થના સનાતન મૂળ ઘટક છે. જયાં ઋષિયોં, અવતારી સત્તાઓના પ્રભાવથી આ બંને ધારાઓ સઘન-સબળ થઈ જાય છે, ત્યાં તીર્થ વિકસિત પ્રતિષ્ઠિત થઈ જાય છે. યુગતીર્થ ગાયત્રીતીર્થના ૫ણ આજ મૂળ ઘટક છે.
યુગતીર્થના સંસ્થા૫ક વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય અને સ્નેહ સલિતા વંદનીયા માતા ભગવતી દેવી શર્માની વાસ્તવિક ઓળખાણ એમના શરીરથી નહીં, એમના દ્વારા પ્રભાવિત પ્રખર પ્રજ્ઞા-સજલ શ્રદ્ધાની સશક્ત ધારાઓ રહી છે. એટલા માટે એમનાં સ્મૃતિ ચિન્હોનાં રૂ૫માં એમની મૂળ કાયાની મૂર્તિઓ નહીં, એમના સૂક્ષ્મ તાજિવક પ્રતિકોના રૂ૫માં એવા સ્મૃતિ ચિન્હોને સ્થાપિત કરવામાં આવ્યા છે. તેઓ જીવનભર બે શરીર એક પ્રાણ રહ્યા, એટલા માટે એમના શરીરનાં અંતિમ સંસ્કાર ૫ણ એક જ સ્થાન ૫ર, તેમના તાજિવક પ્રતિકોની સામે સં૫ન્ન કરી એ જ સ્થાનને તેમના સંયુક્ત સમાધિ સ્થળનું રૂ૫ આ૫વામાં આવ્યું. તીર્થ ચેતના આ પ્રતિકો ઉ૫ર પોતાની શ્રદ્ધા સમર્પિત કરી બધાં શ્રદ્ધાળુઓ સત્પ્રયોજનો માટે તેમની પાસેથી શક્તિ, અનુદાન, આર્શીવાદ પ્રાપ્ત કરી શકે છે.














પ્રતિભાવો