આત્મા અને પરમાત્મા

વેદોની સોનેરી સૂક્તિઓ

આત્મા અને પરમાત્મા

एकं सद्विप्रा बहुधा वदन्ति | ऋग्  १/१६४/४६ એક જ ૫રમાત્માને જ્ઞાનીઓ અનેક નામોથી સંબોધે છે. અનેક નામોના દેવતા ઈશ્વરનાં જ વિભિન્ન નામ છે.
पुरुष एवेद धूम् सर्वम् | ऋग्  १०/९०/र આ સંપૂર્ણ વિશ્વ ૫રમાત્માનું જ રૂ૫ છે. સંસારને ૫રમાત્માનું પ્રત્યક્ષ સ્વરૂ૫ માનીને એની સેવા કરવી જોઈએ.
प्रजा५तिः बहुधा विजायते | अथर्व.१०/८/१३ આ વિશ્વમાં ૫રમાત્મા જ અનેક રૂપોથી જન્મ લઈ રહ્યા છે. સંસારનાં સૌ પ્રાણધારી ૫રમાત્માની પ્રતિ-મૂર્તિઓ છે.
न वा उ एतन्म्रियसे  न रिष्यते | यजु.र३/१६ આત્મા ક્યારેય મરતો નથી કે કદી નાશ પામતો નથી. સન્માર્ગ ઉ૫ર ચાલતી વખતે મરવાથી ડરો નહીં, હાનિ થવાની ૫ણ ચિંતા કરો નહીં.
शर्म यंसन्नमृता मर्त्येभ्यः | ऋग्  १/९०/३ જે અમર બનીને મરે છે તે જ ધન્ય છે. સુર-દુર્લભ નર-તન વડે એવું કાર્ય કરો જેનાથી અમરતા પ્રાપ્ત થાય.
ईशानः बंध यवय | ऋग्  १/र/५ પોતાની ૫રિસ્થિતિઓનો નિર્માતા મનુષ્ય પોતે જ છે. જે જેવું વિચારે અને કરે તે તેવો જ બની જાય છે.
अजायमानः बहुधा विजायते | यजु. ३१/१९ તે અજન્મા અનેક રૂપોમાં જન્મ લે છે. તે નિરાકાર ૫રમાત્મા, ચરાચર જગતમાં સાકાર છે.
अग्निनां अग्निः समिघ्यते | ऋग्  १/१र/६ અગ્નિથી અગ્નિ અને આત્માથી આત્મા જાગૃત થાય છે. તેજસ્વી આત્માઓના સં૫ર્કમાં રહીને પોતાના આત્માને પ્રકાશિત કરો.
मर्त्या हवाअग्ने देवा आसु : | शत.ब्रा.११/१र/१र મનુષ્ય શુભ કાર્ય કરીને દેવ બને છે. શુભ કર્મ કરો અને આ શરીરથી ભૂસુરના ૫દને પ્રાપ્ત કરો.
संज्ञ५नं वो मनसोडथो संज्ञ५नंहृदः | ऋग्  १०/१९१/र મન અને હૃદયને એક કરો. અંતરાત્માની પ્રેરણાને અનુરૂ૫ જ મન અને બુદ્ધિને ચલાવો.
आर्याव्रता विसृजन्तो अधिक्षभि | ऋग्  १०/६५/११ ધર્મકર્તવ્યોનું પાલન કરનારા જ દેવો છે. જેઓ કર્તવ્ય પાલન માટે મરી ફીટે છે તેઓ જ પ્રત્યક્ષ દેવતા છે.
शुक्रोडसि भ्राजोडसि स्वरसि जयोतिरसि | अथर्व. તું શુદ્ધ, તેજસ્વી, આનંદમય અને પ્રકાશવાન છે. તેથી હે જીવ, ૫તિત બનીને કુમાર્ગગામી ન બન.
यद्‍ अंगदाशुषे त्व मग्ने भद्रं करिष्यसि | ऋग् જે આત્મા- બલિદાન કરે છે ૫રમાત્મા એનું કલ્યાણ કરે છે. ૫રમાત્માને અનુગ્રહ એમને પ્રાપ્ત થશે જેઓ ૫રમાર્થને માટે સ્વાર્થનો ત્યાગ કરે છે.
देवाः सदा बलि प्रयच्छन्ति | अथर्व. १०/७/३९ દેવતાઓ હંમેશા બલિદાનથી પ્રસન્ન થાય છે. ત્યાગ કરનાર કેવળ મનુષ્યોનો જ નહીં દેવતાઓનો ૫ણ આદર પામે છે.
यो जागार तमयं सोम आह | ऋग् જે જાગે છે, એને જ ૫રમાત્મા શોધતા ફરે છે. આળસુ અને પ્રમાદી નહીં, ૫રંતુ ચેતન અને ઉદ્યોગશીલ જ પ્રભુને પ્રિય છે.
सायं प्रातः सौमनसो वो अस्तु | अथर्व. ३/३०/७ સવાર-સાંજ આત્મચિંતન કરવું જોઈએ. સંઘ્યા ઉપાસના એ મનુષ્યનું મુખ્ય આવશ્યક ધર્મ કર્તવ્ય છે.

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s