સત્ય અને સદ્દવિચાર

વેદોની સોનેરી સુક્તિઓ..

સત્ય અને સદ્દવિચાર

त्वं नो मेधे प्रथमा |

( अथर्व. /१०८/)

સદ્દબુદ્ધિ જ સંસારમાં સર્વશ્રષ્ઠ વસ્તુ છે. જેણે પોતાની વિચારધારાને શુધ્ધ બનાવી લીધી છે તેણે બધું જ પ્રાપ્ત કરી લીધું છે.
सत्यं वक्ष्यामि नानृतम् |

( अथर्व. //)

અસત્ય નહીં, સત્ય જ બોલો, સત્યના માર્ગ ઉપર ચાલવું એ પરમ શાંતિદાયક રાજમાર્ગ છે.
ऋतं वदन्तो अनृतं रयेम |

( अथर्व. १८//)

સત્યવાદીઓ, અસત્યને અપનાવો નહીં. જે અસત્યને અપનાવે છે તે સર્વસ્વ ખોઈ બેસે છે.
सत्यमेव जयते नानृतम् |

( मुंडक. //)

સત્ય જ જીતે છે, અસત્ય નહી. જૂઠમાં આકર્ષણ હોઈ શકે, પરંતુ સ્થિરતા તો સત્યમાં જ છે.
यदन्तरं तद्वाह्यं यद्वाह्यं तदन्तरम् |

( अथर्व.)

જે અંદર છે તેને જ બહાર પકટ કરો, જેને બહાર કહો છો તેને જ અંદર રાખો. જેની અંદર-બહાર એક જ વાત છે તે નિષ્કપટ વ્યક્તિ ધન્ય છે.
ऋतस्य श्लोको बधिराततर्द कर्णा |

( ऋग् .)

સત્યનો પોકાર બહેરા કાનોને પણ પહોંચે છે. જે સચ્ચાઈ છે તેને આજે નહીં તો કાલે લોકો સ્વીકારશે જ.
दंते दंहमाज्योक्रे संदशि जीव्यासम् |

( यजु .)

સત્ય અને ધર્મના માર્ગ પર દ્રઢ રહો. ભય અને લાલચ ધર્માત્માની દ્રઢતાની કસોટી માટે આવ્યા કરે છે.
शंन: सत्यस्य पतयो भवन्तु |

( अथर्व१९/१७/.)

સત્યવ્રતધારી જ સર્વત્ર સુખ શાંતિ ઉત્પન્ન કરે છે. પોતે સુખી રહેવું અને બીજાંઓને સુખ આપવું એ કેવળ સત્યમાર્ગ દ્વારા જ સંભવી શકે છે.
सुग: पन्था अनृक्षर आदित्यास ऋतं यते |

( ऋग् १/४१/१४.)

સત્યમાર્ગ પર ચાલનારાઅઓનું જીવન સરળ બની જાય છે. કંટકપૂર્ણ માર્ગ જુઠાઓ માટે છે, સત્યપ્રેમીને માટે તો સર્વત્ર સરળતા છે.
भद्रं कर्णेभि: शृनुयाम |

( यजु ३०)

કાનો વડે સારા વિચાર જ સાંભળો. બીજાંઓની નિન્દા અને ત્રૂટિઓને સાંભળવામાં પોતાનો સમય ન બગાડો.
तमो व्यस्य |

( अथर्व १२//१२)

અંધકારમાં પડ્યા રહો નહીં. જે અજ્ઞાન અને આળસમાં ડૂબેલો છે તે અંધારામાં ભટકશે.
जीवितां ज्योतिरभ्येहि |

( अथर्व ८//)

જીવતા માણસો પ્રકાશ તરફ જાય છે વિવેક અને પુરુષાર્થ જેમના સાક્ષી છે તેઓ જ પ્રકાશ પ્રાપ્ત કરશે.
श्वसित्यप्शु हंसो न सीदन् |

( ऋग १/६५/६६)

હંસની જેમ ગુણગ્રાહક બનો બેકાર અને ખરાબ વાતોને છોડી કેવળ ઉપયોગી હોય તેને જ સ્વીકારો.
ये श्रद्धा धनकाम्या क्रव्यादा समासते |

(अथर्व १२//५१)

જે શ્રદ્ધાને છોડીને તૃષ્ણામાં ફસાયા છે તેઓ નાશની તૈયારી કરી રહ્યા છે. આત્મોન્નતિથી વિમુખ થઈ મૃગતૃષ્ણા પાછળ ભટકવાની મૂર્ખતા કરો નહીં.
अचेतनस्य पथ: मा विदुक्ष: |

( ऋग् //)

અજ્ઞાનીઓ જે માર્ગે જાય છે તે માર્ગ પર ન જાઓ. અજ્ઞાનીઓ એ છે જે કુમાર્ગે ચાલીને સુખની આશા રાખે છે.
मा गतानामादीधीथा |

( अथर्व ८//)

ગુજરી ગયેલાં માટે શોક ન કરો. સંસારની દરેક વસ્તુ નાશવંત છે, નિશ્ચિત છે તે માટે રોવું શા કામનું ?
मा क्रुध : |

( अथर्व ११//२०)

ક્રોધ ન કરો. ક્રોધ એક પ્રકારનું ગાંડપણ છે, એનાથી સમસ્યાઓ ઘટતી નથી, વધે છે.
मा विदिध्य : |

( अथर्व ९/१८)

ચિંતા કરવી નકામી છે. ચિંતામાં લોહી બાળવા અને સમય નષ્ટ કર્યા વગર મુશ્કેલીનો ઉપાય વિચારો.

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s