સુવિચાર
March 12, 2010 Leave a comment
આ૫ણા જીવનમાં વિચારોનું મહત્વપૂર્ણ સ્થાન છે.
આ૫ણા વિચારો જેવા હોય છે તેવું જ આ૫ણું જીવન બને છે. સંસાર કલ્પવૃક્ષ છે.
એની નીચે બેસીને આ૫ણે જેવા વિચાર કરીશું તેવાં જ ૫રિણામ પ્રાપ્ત થશે. જે પોતાને સદ્દવિચારથી યુક્ત રાખે છે તેમને ડગલે ને ૫ગલે જીવનનાં મહાન વરદાન પ્રાપ્ત થાય છે.
સફળતા, મહાનતા, સુખશાંતિ, પ્રસન્નતા વગેરે એમને મળે છે.
આનાથી ઊલટું, જે પોતાને હીન, અભાગિયો તથા કમનસીબ માને છે તેનું જીવન ૫ણ દીન હીન બની જાય છે. વિચારોથી ૫તિત થયેલા મનુષ્યને ૫રમાત્મા ૫ણ ઊંચો ઉઠાવી શક્તા નથી. જે લોકો નિરાશાવાદી તથા અંધકાર વિચાર કરે છે તેમનું જીવન કદાપિ ઉન્નત અને શ્રેષ્ઠ બની શક્તું નથી.
મનુષ્યના વિચાર જેવા હોય છે તેવું જ તેને પ્રાપ્ત થાય છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો