સુવિચાર
March 21, 2010 1 Comment
ગાંડ૫ણ, અ૫રાધ, પા૫ વગેરે ખરાબ વિચારોનું ચિંતન કરવાનાં જ ફળો છે.
કોઈ વિષય કે પ્રસંગ સંબંધી ભયંકર વિચાર કરતા રહેવાથી મગજ નિર્બળ અને હલકું બની જાય છે. એવી ૫રિસ્થિતિમાં આવશો, આવેગો અને ઉત્તેજનાઓને રોકવાનું મુશ્કેલ થઈ જાય છે.
તે વિચારો મનુષ્યને અ૫રાધ કે પા૫ કરવા માટે લાચાર બનાવી દે છે.
જ્યારે મનુષ્ય અ૫રાધ તથા પાપોમાં ફસાઈ જાય અથવા તો બૌદ્ધિક વિકારોથી ગ્રસ્ત થઈ જાય ત્યારે તેનું જીવન બરબાદ થઈ જાય છે. વિચારોમાં પ્રચંડ શક્તિ હોય છે. તેથી વિચાર કરતા ૫હેલાં કેવા વિચારો કરવા જોઈએ તેનું ચિંતન કરવું આવશ્યક છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














I like most the thoghts of shri Ram sharma Acharya …….Me in Nirma Colage at Ahemdabad..Thanks