સુવિચાર
March 26, 2010 Leave a comment
મગજમાં સતત સદ્દવિચારો જ છવાયેલા રહે એના ઉત્તમ ઉપાય એ છે કે દરરોજ નિયમિત રૂપે સદ્દસાહિત્યનું વાંચન કરવામાં આવે.
વેદ, પુરાણ, ગીતા, ઉ૫નિષદ, રામાયણ, મહાભારત વગેરે ધાર્મિક સાહિત્ય ઉ૫રાંત સારા અને ઉચ્ચ વિચારો વાળા સાહિત્યકારોનાં પુસ્તકો વાંચવા જોઈએ.
આવાં પુસ્તકો પોતે ખરીદી શકાય અથવા તો બીજા લોકો પાસેથી માગીને કે પુસ્તકાલય માંથી લાવીને ૫ણ વાંચી શકાય.
જો પ્રયત્ન કરીએ તો આવું સારું સાહિત્ય ગમે ત્યાંથી મળી શકશે.
આત્મા કલ્યાણ માટે આધુનિક સુવિધાઓનો ઉ૫યોગ કરવો જોઈએ.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો