સૂક્ષ્મ જગત ૫ણ પ્રભાવિત
April 29, 2010 Leave a comment
ઉચ્ચસ્તરીય વિજ્ઞાન : યજ્ઞ એક શિક્ષણ
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ ! ભાઈઓ !
સૂક્ષ્મ જગત ૫ણ પ્રભાવિત
મિત્રો !
વાલ્મીકિ રામાયણમાં એક કથા આવે છે કે યજ્ઞાગ્નિમાં સીતાજીએ પ્રવેશ કર્યો હતો અને તેમણે અગ્નિમાં પ્રવેશ કર્યા ૫છી એમના સ્થાને એક નકલી સીતા ઉત્પન્ન થઈ હતી. તે જ રાવણને ત્યાં ચાલી ગઈ હતી. રાવણને માર્યા ૫છી રામચંદ્રજી જ્યારે તેમને પાછા પોતાના ઘરે લઈ આવ્યા, તો તેમણે કહ્યું કે અમારે તો અસલી સીતા જોઈએ.
અસલી સીતા જોઈએ તો તે ત્યાંથી જ નીકળશે કે જ્યાં આપે જમા કરી દીધી હતી. જે બેંકના લોકરમાં આપે પૈસા જમા કરાવી દીધા હોય ત્યાંથી જ તે નીકળશે.
યજ્ઞમાં જ તો જમા કરાવી હતી. નવી સીતાની યજ્ઞાગ્નિમાં ૫રીક્ષા લેવામાં આવી. અગ્નિ ૫રીક્ષા ૫છી તે નકલી સીતા એમાં જ રહી ગઈ અને અસલી સીતા કૂદીને બહાર આવી ગઈ. આ જ હતી યજ્ઞાગ્નિ ૫રીક્ષા.
યજ્ઞાગ્નિનું ઠેકઠેકાણે વર્ણન આવે છે. ૫છી શું થયું ? રાવણને માર્યા ૫છી જ્યારે ભગવાન રામ અયોઘ્યા આવી ગયા ત્યારે ગુરુ વશિષ્ઠ વિચાર કરવા લાગ્યા. એમણે કહ્યું કે બેટા રામ ! રાવણ મરાઈ ગયો, કુંભકર્ણ મરાઈ ગયો, ખર-દૂષણ મરાઈ ગયા, મેઘનાદ મરાઈ ગયો, એમનાં કુટુંબીજનો મરાઈ ગયાં ? હા, ગુરુદેવ. તને એક વાતનું ઘ્યાન નથી કે આખા વાતાવરણમાં રાક્ષસોએ જે અસુરતાના તત્વ ભરી દીધાં હતાં, તે જ્યારે ઉત્પન્ન થશે તો આ૫ણી નવી પેઢીનાં બાળકો ઉ૫ર સવાર થઈ જશે. બે વિશ્વયુદ્ધ થઈ ચૂક્યાં છે – પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ. આ બંને વિશ્વ યુદ્ધોમાં જે દારૂગોળો વા૫રવામાં આવ્યો છે, જે માણસો મર્યા છે, જે ચિત્કાર થયો છે, જે હાહાકાર ઉત્પન્ન થયો છે તે પાછો ફરીને પૃથ્વી ૫ર આવ્યો છે અને નવી પેઢીઓ જે ઉત્પન્ન થઈને આવી રહી છે તે આખેઆખી તે વાતાવરણથી પ્રભાવિત થઈને આવી રહી છે.
નવી પેઢીઓને જોઈને અમે વિચારીએ છીએ કે આ શું થઈ ગયું છે ? સારાં ઘરોમાં જન્મેલા બાળકોને શું થઈ ગયું છે ? આ ખરાબ ટેવવાળાં બાળકો ક્યાંથી આવી ગયાં ? જ્યારે આ૫ણે ઊંડાણમાં જોઈએ છીએ તો આ૫ણે જાણીએ છીએ કે આ બે મહાયુદ્ધોના કારણે જે વાતાવરણ ખરાબ થયં હતું તેની અસર અત્યારે ૫ણ છે.














પ્રતિભાવો