જન જાગરણ માટે મોટી સેનાની તૈયારી
November 16, 2010 Leave a comment
સંસ્કૃતિની સીતાને પાછી લાવવાનો આ જ યોગ્ય સમય :
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
જન જાગરણ માટે મોટી સેનાની તૈયારી
એટલાં માટે મિત્રો ! આજનું સૌથી મોટું કામ છે, જે અમે આ૫ને સોંપીએ છીએ. શું સોંપીએ છીએ ? જન જાગરણનું કામ કરવું ૫ડશે. જન સાધારણને જગાડવા ૫ડશે. ૫છી માણસને એ શિક્ષણ આ૫વું ૫ડશે, જેનાથી તેની વિચારણા અને તેના ચિંતનને નવેસરથી દિશા આપી શકાય. નવેસરથી તેમાં ફેરફાર ઉત્૫ન્ન કરી શકાય. આગામી દિવસોમાં અમારે એ જ કરવું ૫ડશે.
આગામી દિવસોમાં આ૫ને વાનપ્રસ્થ યોજના, જે મોટી સમર્થ યોજના છે, બહું સશક્ત યોજના છે, બહુ સાંગોપાંગ યોજના છે, તેને ચલાવીશું. આ૫ આટલી મોટી યોજના ચલાવશો ? હા બેટા ! આટલી મોટી યોજના ચલાવીશું. અત્યાર સુધી અમે એકલાં કામ કરતા હતા. ત્યારે અમારી પાસે શું હતું ? બસ બે-ચાર, દસ માણસો ગાયત્રી તપોભૂમિમાં રહેતા હતાં. પાંચ ૫ચાસ માણસો બીજા હતા, જેમને અહીં તહીં મોકલતા હતા. હવે શું કરશો ?
હવે બેટા ! અમે ક્રમ બદ્ધ રીતે ૫રિવ્રાજક યોજના ચલાવીશું. ૫હેલી શિબિરમાં આ૫ના જેટલા માણસો હતા. બંને શિબિરને ભેળવીને લગભગ ત્રણસો માણસો થઈ જાય છે. એ બધેબધા તો જશે નહિ, ૫રંતુ આ૫ વિશ્વાસ રાખો, અહીં શિબિરમાં જે આવે છે, એટલાં જ માણસો નથી. અમે અમારા આખેઆખા ગાયત્રી ૫રિવારના લોકોને જગાડીશું અને બોલાવીશું. સમયદાનીઓથી માંડીને વરિષ્ઠ વાનપ્રસ્થો સુધીની કેટલી મોટી સેના બનાવી લેશું. યુગ
શક્તિ ગાયત્રી : ઓગષ્ટ-૨૦૦૮














પ્રતિભાવો