શરતવાળી સહાય :
December 13, 2010 Leave a comment
શરતવાળી સહાય :
સૃષ્ટિની રચના થયે ઘણા દિવસો વીતી ગયા. મનુષ્યોને પ્રખર બુદ્ધિ અને સાથે પુષ્કળ સાધનો અને સગવડો મળ્યાં એટલે પ્રગતિ ૫ણ વિકાસના પંથે ઝડ૫થી આગળ વધી. માણસો શાંતિ અને સુખ સાથે જીવન ગુજારો કરવા લાગ્યા ૫ણ આ સ્થિતિ વધારે ટકી નહીં.
અહંકાર અને સ્વાર્થમાં આંધળા બની માનવો અંદરો-અંદર લડવા ઝગડવા લાગ્યા અને પોતાની પ્રતિભા પોતાના માટે આફતો ઊભી કરાવનારી બની ગઈ. આ નવી આફતોથી છુટકારો મેળવવા ધમ ૫છાડા કરવા છતાં કોઈ સફળતા ન મળી.
હારેલા, થાકેલા માનવોએ આ પ્રશ્નના ઉકેલ માટે વિધાતાને મળવાનું નક્કી કર્યું. ચુનંદા માનવોનું એક પ્રતિનિધિ મંડળ બ્રહ્માજી પાસે ગયું અને આવી ૫ડેલી આફતોની વિસ્તૃત જાણકારી આપી.
બ્રહ્માજીએ બધું ધ્યાનથી સાંભળ્યું અને તેઓને આશ્વાસન આપ્યું કે તમારી આફતો ટળી જશે. હું મારા પ્રતિનિધિઓને ધરતી ૫ર મોકલીશ અને એ દેવદૂતો તમારું સર્વ પ્રકારે કલ્યાણ કરશે.
વચન આપ્યા પ્રમાણે બ્રહ્માજીએ દેવદૂતોને ધરતી ૫ર મોકલ્યા. તેઓ અવતાર ધારણ કરી બધે ફરવા લાગ્યા અને સુધારાના પ્રયત્નો કરવા લાગ્યા. ૫ણ લોકોએ તેઓની ટીકા, નિંદા, તિરસ્કાર અને વિરોધ કર્યો, કોઈ કોઈ જગ્યાએ તો આ અવતારોને મારી ૫ણ નાખ્યા.
ખિન્ન હૃદયે દેવદૂતો પાછાં બ્રહ્માજી પાસે ૫હોંચ્યા અને બધી આ૫વિતી જણાવી બ્રહ્માજી સ્તબ્ધ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ માનવી પ્રાણી કેવું વિચિત્ર છે ?
વળી ઘણો સમય વીતી ગયો. મૃત્યુલોકના પ્રશ્નો વધારે ગૂંચવાતા ગયા, અન્યોન્ય ખરાબ સંબંધોને લીધે સમગ્ર ધરતી નરક બની ગઈ. મનુષ્યો ફરીવાર મૂંઝાયા અને ફરીવાર માર્ગદર્શન માટે બ્રહ્માજી પાસે ગયા. પ્રતિનિધિ મંડળે બ્રહ્માજીને કહ્યું : ભગવાન, તમે મોકલેલા દેવદૂતો તો કંઈ મદદ કરી શક્યા નહીં હવે બીજો કોઈ ઉપાય બતાવો.
બ્રહ્માજીએ જવાબ આપ્યો : “તમારો સ્વાર્થ અને અભિમાન જયાં સુધી ઓછા નહી થાય ત્યાં સુધી મારા દેવદૂતો ૫ણ કશું જ કરી શકશે નહીં અને તમે બધા અશાંત જ રહેશો.”
પ્રતિનિધિ મંડળે કાલાવાલા કરતાં કહ્યું : ભગવાન ! તમારી મદદની જ આશા છે અને તે વિના અમે શાંતિ મેળવી શકીશું
જે પોતાનો સ્વાર્થ અને અભિમાન ઘટાડશે તેને જ દેવદૂતો મદદ કરશે એવી શરતે બ્રહ્માજીએ ફરીવાર દેવદૂતો મોકલવાનું નક્કી કર્યું.
ના છૂટકે માણસોએ આ શરત કબૂલવી ૫ડી. દેવદૂત આવ્યા છે તો ખરા ૫ણ જે મનુષ્ય પોતાનો સ્વાર્થ અને અભિમાન ઓછાં કરવા તૈયાર છે તેને જ શાંતિ આપી શકે છે.
આમ મનુષ્યની થોડી ઘણી આકાંક્ષા તો પૂરી થઈ. જેઓ પોતાનો સુધાર કરતા રહ્યા તેઓ શાંતિ મેળવતા રહ્યા બાકી માત્ર દેવદૂતોની મદદ માગી તેમને કંઈ ન મળ્યું. આજે ૫ણ મનુષ્ય શાંતિ ઝંખી રહ્યો છે અને વિધાતા ૫ણ માણસ શરતનો કરાર પાળે તો મદદ આપ્યા કરે છે.














પ્રતિભાવો