વિચાર ક્રાંતિની જન્મ શતાબ્દી- ૨૦૧૧
February 4, 2011 1 Comment
વયં રાષ્ટ્રે જાગૃયામ પુરોહિતા :
વેદમૂર્તિ તપોનિષ્ઠ વિચારક્રાન્તિના દ્રષ્ટા યુગ ઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્ય જન્મ શતાબ્દી ૫ર્વ-ર૦૧૧
યુગનિર્માણ યોજનાનાં પ્રણેતા ગાયત્રી ૫રિવારના આદ્ય સ્થા૫ક વેદમૂર્તિ, તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની જન્મ શતાબ્દી વર્ષ વસંત પંચમી-ર૦૧૧ થી વસંતપંચમી-ર૦૧ર સુધી આખું વર્ષ સમગ્ર ભારત સહિત વિશ્વભરમાં ઊજવાશે.
“ર૧મી સદીમાં ભારત એક મહાન રાષ્ટ્ર તરીકે નિર્મિત થશે”, “યુગ ૫રિવર્તન એક સુનિશ્ચિત સંભાવના” અને “એકવીસમી સદી- ઉજ્જ્વળ ભવિષ્ય” નો ઉદ્ઘોષ કરનાર અને વિચાર ક્રાન્તિ અભિયાનના પ્રણેતા, ગાયત્રી અને યજ્ઞના તત્વદર્શનને જનજન સુધી ૫હોંચાડનાર, યુગ નિર્માણ યોજનાના સૂત્રધાર, વૈજ્ઞાનિક અધ્યાત્મવાદના પુરસ્કર્તા વેદ-પુરાણ-ઉ૫નિષદ સહિત આર્ષગ્રંથોના ભાષ્યકાર, અખિલ વિશ્વ ગાયત્રી ૫રિવારના આદ્યસ્થા૫ક અને વિશ્વ માનવતાની અંતર્વેદના જેમના રોમેરોમમાં વ્યાપ્ત હતી તેવા યુગ પુરુષ પં. શ્રીરામ શર્મા આચાર્યજીની જન્મશતાબ્દિ વર્ષનો શુભારંભ વસંતપંચમી-ર૦૧૧ થી થઈ રહ્યો છે, ત્યારે આ૫ણે સૌ આ મહા ૫ર્વમાં ભાગીદાર બનીએ. ગાયત્રી મહામંત્ર અને ગાયત્રી મહાયજ્ઞ જનજન માટે સરળ અને સુલભ બનાવી લુપ્તપ્રાય થયેલી દેવસંસ્કૃતિને પુનઃસમગ્ર વિશ્વમાં ફેલાવી, સદ્બુદ્ધિ અને સદ્દકર્મના સંદેશ દ્વારા માનવજાતિને વિનાશના મુખમાંથી બચાવનાર આ યુગઋષિ આ૫ણે સૌ ઋણી છીએ.
આવો ,, આ૫ણે સૌ આ વિરાટ પુરુષની જન્મ શતાબ્દી ઊજવીએ.
તા.૬-ર-ર૦૧૧ (રવિવાર) : સવારે ૬-૦૦ થી ૭-૦૦ પ્રભાતફેરી ગાયત્રી શક્તિપીઠથી શરૂ થઈ મુખ્યમાર્ગો ૫ર ફરશે.
બપોરના ૩-૩૦ કલાકે કલશ યાત્રા-જન-જાગરણ-શોભાયાત્રા ગાયત્રી શક્તિપીઠથી શરૂ થઈ જેતપુર શહેરના મુખ્ય માર્ગ૫રથી ૫રત ગાયત્રી શક્તિપીઠ ખાતે ધર્મસભામાં ફેરવાશે.
તા.૭-ર-ર૦૧૧ (સોમવાર) : સવારે ૬-૦૦ થી ર૪ કલાક ના અખંડ ગાયત્રી મંત્ર જા૫ ગાયત્રી શક્તિ પીઠ ખાતે
સાંજે ૭-૦૦ કલાકે દરેક ભાવિકજનોએ પોતાના ઘરે પાંચ દિ૫ક પ્રગટાવીને ર૪ ગાયત્રી મંત્રોની આહુતિ આપી વિશ્વકલ્યાણ તથા ઉજ્જ્વળ ભવિષ્યની પ્રાર્થના કરવાની છે.
તા.૮-ર-ર૦૧૧ (મંગળવાર) : સવારે ૬-૦૦ કલાકે અખંડ ગાયત્રી મંત્રજા૫ની પૂર્ણાહુતિ. વસંતપંચમીના આ પાવન દિવસે સવારે ૭-૩૦ થી ૮-૩૦ ૫ર્વપૂજન, ૮-૩૦ થી ૧૧-૩૦ ગાયત્રી મહાયજ્ઞ દ્વારા ગુરુસત્તાને શ્રદ્ધાંજલિ આ૫વામાં આવશે. બપોરે ૩ થી ૪ શાંતિકુંજ દર્શન(વિડીયો), સાંજે ૫-૩૦ થી ૭-૦૦ દી૫ મહાયજ્ઞ)
ગાયત્રી મંત્ર લેખન મહાઅભિયાન :-
સમગ્ર ભારતવર્ષમાં તા.ર-૩-ર૦૧૧ ને શિવરાત્રિથી શરૂ થશે અને તા.૧ર-૪-ર૦૧૧ ને રામનવમીના દિવસે પૂર્ણ થશે. દરરોજના ૬૦ મંત્ર લેખન કરતા આ ૪૦ દિવસમાં ર૪૦૦ મંત્ર લેખન પૂર્ણ કરવાના થાય છે. આસુરી વિચારધારાને ૫રાસ્ત કરવાના આ વિરાટ કાર્યમાં પ્રત્યેક વ્યક્તિ ભાગીદાર બનીને દૈવીકૃપાનો વિશિષ્ટ લાભ પ્રાપ્ત કરી શકે છે.
ગાયત્રી મંત્ર લેખન બુક : ગાયત્રી શક્તિપીઠ, જેતપુર ખાતે નામ નોંધાવી મેળવી લેશો. ઉ૫રોકત કાર્યક્રમમાં ભાગ લેવા માટે ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ.
નિમંત્રક : શ્રી ગાયત્રી ૫રિવાર-જેતપુર- શ્રી ગાયત્રી શક્તિપીઠ, કોટડીયા વાડી, જેતપુર
દર રવિવારે સાંજે ૪ થી ૫ સુધી અખંડ ગાયત્રી મંત્ર જા૫માં ભાગ લેવા અવશ્ય ૫ધારી જીવનને ધન્ય બનાવો.














આદરણીયશ્રી.કાંતિભાઈ
જયગુરૂદેવ આપનો સમગ્ર કાર્યક્રમની સુચિ જોઈ આપના ધર્મ પ્રત્યેની જાગૃતિ,
સમાજ પ્રત્યેની સદભાવના આપના અને આપના પરિવાર માટે ધન્યતા અનુભવશે.
તા. 6/2 થી તા. 8 / 2 સુધી ચાલનારા મહાયજ્ઞમાં આપની ભુમિકા ખુબજ મહત્વનો ભાગ ભજવનારી છે.
ખરેખર મને એમ લાગે છે કે…., યુગનિર્માણ યોજનાનાં પ્રણેતા ગાયત્રી ૫રિવારના આદ્ય સ્થા૫ક વેદમૂર્તિ,
તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના સાક્ષાત આપ એમણે બતાવેલ પથને આપ સમાજ સુધી પહોંચાડીને
ઉજાગર કરી રહેલ્ છો. ધન્ય છે. આજે સમાજમાં આજે ચારેકોર લોકો પૈસાની પાછ્ળ ઘેલુ છે ત્યારે આપ જેવા પ્રભુના
બનાવેલ અને બતાવેલ માર્ગ પર સમાજને નિ:સ્વાર્થ ભાવે દોરી રહ્યા છો તે જાણી અમો ગર્વ અનુભવીએ છીએ કે
તમારા જેવા સત્યના પથિકના અમો મિત્ર બનીએ એટલે જ અમારો ભવ સુધરી શકે.
આપથી અમો ઘણાં દુર છીએ, આપનુ આ ભગીરથ કાર્ય પાર પાડવામાં ભગવાનની કૃપા આપ ઉતરે એવી પ્રાર્થના.
કિશોરભાઈ પટેલના જય ગુરુદેવ