ગુરુસત્તાની અમૃતવાણી :
March 12, 2011 Leave a comment
આજનું ચિંતન :
મનુષ્યના વિચાર જેવા હોય છે તેવો જ તે બની જાય છે.
વિચાર બીબું છે અને જીવન ભીની માટી છે. જેવા આ૫ણા વિચાર હોય છે તેવું જ આચરણ આ૫ણે કરીએ છીએ, એવા જ સાથીઓ મળે છે, રુચિ, જાણકારી તથા પ્રેરણા ૫ણ એ પ્રકારની જ મળે છે.
તેથી જો શ્રેષ્ઠ બનવું હોય તો હંમેશાં શ્રેષ્ઠ મનુષ્યોના સં૫ર્કમાં રહેવું, શ્રેષ્ઠ પુસ્તકો વાંચવા, શ્રેષ્ઠ વાતો વિચારવી અને શ્રેષ્ઠ કાર્યો કરવા જરૂરી છે.
-પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો