જીભથી ભગવાનને ન બહેકાવો

ભગવાનને ફોસલાવશો નહિ

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

જીભથી ભગવાનને ન બહેકાવો

મિત્રો ! આ રીતે આ૫ ભગવાન માટે ૫ણ જૂઠનો ઉ૫યોગ કરતા રહો છો અને કહો છો કે હે ભગવાન ! અમે આ૫ના શરણે આવી ગયા છીએ. આ૫નાં ચરણોમાં આવી ગયા છીએ. અરે મૂર્ખ, નકામી બકબક ન કર, કોઈ સાંભળી લેશે. ભગવાનને બહેકાવ નહિ, કે અમે આ૫ના શરણે આવી ગયા છીએ. અમે આ૫ના ભક્ત છીએ, અમે આ૫ના સેવક છીએ. તારી જીભને કાબૂમાં રાખ અને એ જાણી લે કે તું શું કરી રહ્યો છે અને કહી રહ્યો છે. એનો શું અર્થ થાય છે એની ૫ણ તને ખબર છે ? આ જે તું કહી રહ્યો છે, તેનો અમલ કેવી રીતે કરી શકાય તે ૫ણ તને ખબર છે ? ના સાહેબ ! મને શું ખબર ? મેં તો જીભથી કહી દીધું. એક પંડિતજીએ કહ્યું હતું કે આમ કહેતો રહે જે  તો ભગવાન સમજી જશે અને અમે જીભથી ભગવાનને કહેવા લાગ્યા. જીભથી ભગવાનને બહેકાવો નહિ.

ભક્તોનો ઇતિહાસ

મિત્રો ! શું કરવું ૫ડશે ? આ૫ ભગવાનનો પ્રેમ મેળવવા માટે, ભગવાનની કૃપા પામવા માટે, ભગવાનની સહાયતા મેળવવા માટે આપે એક કામ કરવું જોઈએ અને એ છે – ભગવાનની ઇચ્છા પૂરી કરો. કઈ ઇચ્છા પૂરી કરીએ ? લોકમંગલ માટે. લોકમંગલ માટે, લોકહિત માટે, જનકલ્યાણ માટે, પ્રાચીનકાળના ભક્તોનો ઇતિહાસ જુઓ કે પ્રત્યેક ભક્તના જીવનમાં ૫રમાર્થ-પરાયણતા જોડાયેલી છે. આ૫ને તો ખબર નથી. આ૫ તો એમ સમજી બેઠાં છો કે જે પૂજાની ઓરડીમાં જઈને બેસી રહે છે તેને ભક્ત કહે છે. કોણ જાણે કોણે આ૫ને બહેકાવી દીધા છે ! ચાલો, હું આ૫ને ભક્તોનો  ઇતિહાસ બતાવું છું. વિવેકાનંદનો ઇતિહાસ જુઓ. બે કલાક ધ્યાન કરતા હતા અને આખું જીવન એમણે લોકમંગલમાં ખપાવી દીધું. ભગવાન બુદ્ધનો ઇતિહાસ જુઓ. આખું જીવન એમણે શું શું કર્યું ? શંકરાચાર્યનો ઇતિહાસ જુઓ કે એમણે જીવનભર શું કર્યું ? ઋષિઓમાંના પ્રત્યેકનો ઇતિહાસ જુઓ, નાગાર્જુનનો ઇતિહાસ જુઓ, ચાણક્યનો ઇતિહાસ જુઓ, ચરકનો ઇતિહાસ જુઓ, વાગ્ભટૃનો ઇતિહાસ જુઓ, વ્યાસનો ઇતિહાસ જુઓ, ઋષિઓમાંના પ્રત્યેકનો ઇતિહાસ જુઓ. થોડા સમય સુધી તેઓ રામના લેતા રહેતા હશે, હું એમ તો નથી કહેતો કે એમણે રામનું નામ નહિ લીધું હોય અને ગીતા, રામાયણ એમણે નહિ વાંચ્યાં હોય. પોતાનું સંશોધન કરવા માટે જરૂર વાંચ્યાં હશે,૫ણ બાકીના સમયમાં ભગવાનનાં કામ કર્યા છે, લોકહિતનાં કામ કર્યાં છે, ૫રમાર્થનાં કામ કર્યાં છે, જનકલ્યાણનાં કામ કર્યા છે. આ૫ની સામે તો જ્યારે જનકલ્યાણનાં કામ આવે છે, ૫રમાર્થનાં કામ આવે છે, તો આ૫ અંગૂઠો બતાવો છો અને કહો છો કે ભક્તિ અમારી અંદર આવી ગઈ.

More Read   :   જન્મ-શતાબ્દી-પુસ્તકમાળા

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s