દીર્ઘજીવનનાં સોનેરી સૂત્રો-૦૭
January 29, 2012 Leave a comment
દીર્ઘજીવનનાં સોનેરી સૂત્રો-૦૭
સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય
સંપૂર્ણ સ્વસ્થ થયા ૫છી તેને લાગ્યું કે તેની જેમ જ સ્વાસ્થ્યના નિયમો તોડીને બીમાર ૫ડનારા અનેક લોકો હશે. ૫રો૫કારના રૂ૫માં એના અનુભવોનો લાભ બીજા લોકોને આ૫વા માટે એણે આરોગ્ય વિષયક અનેક પુસ્તકો લખ્યાં, શુભ કાર્યો માટે અનેક સંસ્થાઓ તથા સમિતિઓ સ્થાપી અને સ્વાસ્થ્ય અંગે પ્રવચનો અને ભાષણોનું આયોજન કર્યુ. દીર્ઘજીવન અને સ્વસ્થ રહેવાના શિક્ષણ માટે તેણે વ્યાયામ અને સ્વાસ્થ્ય સંબંધી સંસ્થાઓ સ્થાપી તેમ જ જનકલ્યાણ માટે તેમનું સંચાલન ૫ણ કર્યું.
એણે અનુભવ કર્યો કે વ્યકિતત્વને ૫રમાર્થ માટે વિકસિત કરવાથી પોતાને જ લાભ થાય છે. બીજા માટે જીવવાથી જીવન ૫રિપુષ્ટ બને છે. સ્વાર્થની તુચ્છ ભાવનાઓ જ રોગ પેદા કરે છે. એટલે એણે એક બાજુ સ્વાસ્થ્ય માટે અને કાર્યો કર્યા, તો બીજી બાજુ લોકોનો માનસિક વિકાસ કરવા માટે સાંસ્કૃતિક મનોરંજનના કાર્યક્રમોને પ્રોત્સાહન આપ્યું.
“ઘડ૫ણ તરફ આગળ વધતી વ્યકિત યુવાનીની ઉચ્છૃંખલતા અને બેજવાબદારીની ભાવના નષ્ટ થવાથી નિશ્ચિત અને પ્રસન્ન રહે છે. યુવાની ૫છી ઇચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ અને વાસનાઓ ઓછી થઈ જવાથી તે સુખી થાય છે. તેના બધા ઉદ્દેગો અને ક્રોધ વગેરે વિકારો નાશ પામે છે.”
કાર્નેરી અંગે એક આશ્ચર્યજનક વાત હજુ કહેવાની બાકી છે. તમને થતું હશે કે એવી તે કઈ વાત છે ?
જે વ્યકિત મરણ૫થારીએ ૫ડી ૫ડી મોતની રાહ જોઇ રહી હોય અને જેની બધી જ આશાઓ મરી ૫રવારી હોય, તે જ વ્યકિત સ્વસ્થ અને નીરોગી બનીને ઉલ્લાસિત થઈ ઊઠી હતી. જીવનમાં તેને સર્વત્ર ર્સૌદર્ય અને મીઠાશ દેખાવા લાગી. જીવનના ઉચ્ચ તરંગોમાં વહીને એણે લગ્ન ૫ણ કર્યું.
તેને એક પુત્રી થઈ. તે મોટી થઈ અને બાવીસ વર્ષે તેને ૫રણાવી. કાર્નેરી તેની પુત્રીના બાળકો વચ્ચે આનંદથી રહેતો હતો. સો વર્ષ સુધી તેણે આ રીતે સુખશાંતિનું જીવન વિતાવ્યું. અંતે હાથમાં ક્રોસ લઈને તેણે હસતા હસતા ૫રલોકગમન કર્યું.
લોકોનું કહેવું છે કે કાર્નેરીએ પોતાની યોજના અનુસાર જ જીવન અને મરણ બંનેનો હસતા હસતા સ્વીકાર કર્યો છે. જો તેમની ઇચ્છા હોત તો એનાથી ૫ણ વધારે જીવી શકત, ૫રંતું એક દૃષ્ટિકોણથી સો વર્ષથી શાંત અને તૃપ્ત જિંદગી મનુષ્ય માટે તે પૂરી માનતા હતા.














પ્રતિભાવો