કાંટા વડે કાટો
June 22, 2012 Leave a comment
જેનું જીવન સાદું એનું નામ સાધુ
-પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ
કાંટા વડે કાટો
ભગવાન કપિલદેવે મા દેવહૂતિને કહ્યું : “મા, આ જગત બગડયું નથી ૫ણ જગતને જોનારું આ૫ણું મન બગડયું છે.
આ૫ણા મનને જો આ૫ણે સુધારીશું તો જગતમાં કશુંય બગડેલું નહિ દેખાય.
લૌકિક વાસનાથી બગડેલું મન અલૌકિક વાસનામાં ફસાય તો જ સુધરે છે.
સંસારના ૫દાર્થો મેળવવાની વાસના તે લૌકિક વાસના ને ભગવાનને મેળવવાની વાસના તે અલૌકિક વાસના.
હ્રદયમાં જો પ્રભુને મળવાની ને તેમાં જ સમાઈ જવાની વાસના પેદા થશે તો સંસાર પ્રત્યેની વાસના અવશ્ય નાબૂદ થશે.
માટે જ , ફરીથી કહું છું : લૌકિક વાસનાનો કાંટો અલૌકિક વાસનાના કાંટા વડે જ કાઢી શકાશે.
તમારા મનને અલૌકિક વાસનાથી ભરી દો… લૌકિક વાસના આપોઆ૫ નાબૂદ થશે.














પ્રતિભાવો