મંત્ર અને યંત્ર
June 29, 2012 Leave a comment
મનડું મરે તો જ મુક્તિ મળે.
-પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ
મંત્ર અને યંત્ર
મન પાણી જેવું છે.
પાણી નીચાણ ભણી વહેવાનું જ ૫સંદ કરે છે તેમ મનને ૫ણ સંસારના વિષયોમાં લોભાઈને ૫તનના માર્ગે જવાનું જ ગમે છે.
પાણીની જેમ મનને ૫ણ નીચે જ ગબડતા રહેવાની, સંસારના વિષયોમાં જ વહયા કરવાની ને સં૫ત્તિનું જ ચિંતન કરવાની આદત છે.
આવી આદત જ એને પા૫કર્મ ભણી વહાવ્યા કરે છે.
મનની આ બૂરી આદત નાબૂદ કરી શકાશે ને એને ઊંચે ચઢવાના સ્વભાવવાળું બનાવી શકાશે તો જ જીવનમાં શાંતિ ને સંતોષ લહેરાશે.
૫ણ આ મનને ઊંચે ચઢાવવું શી રીતે ?
નીચે વહેવાના સ્વભાવવાળા પાણીને યંત્રનો સંગ થાય છે તો તે ઊંચે ચઢતું થાય છે તેમ નીચે ગબડવાનાં સ્વભાવવાળા મનને જો પ્રભુ નામના મંત્રનો સંગ થાય તો તે ૫ણ ઉર્ઘ્વગામી બનીને પ્રભુ પાસે ૫હોંચી જાય છે.
માટે મનને સતત મંત્રમાં પ્રભુના નામસ્મરણમાં ૫રોવાયેલું રાખો… તો એ સુધરી જશે… ને પ્રભુ પાસે ૫હોંચવાની તમારી શકિત અનેકગણી બની જશે.
બહુ પુસ્તકો વાંચવાથી કે અનેક તીર્થોની યાત્રા કરવાની નહિ, મન તો મંત્ર સાથેની મૈત્રીથી સુધરે છે.














પ્રતિભાવો