સાત્વિક આહારવિહારની ભેટ-દીર્ઘાયુષ્ય-0૧

સાત્વિક આહારવિહારની ભેટ-દીર્ઘાયુષ્ય

સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય

“આજે તમે મારા મહેમાન છો. લોકો એ સાંભળે કે આજીવન સામાન્ય ભોજન કરીને ૫ણ ૧૫ર વર્ષ સુધી જીવી શકાય છે, તમારા પ્રત્યે એવું સન્માન વ્યક્ત કરવા માટે જ રાજભવનમાં પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. ” આવા શબ્દો કહીને ઇંગ્લેન્ડના સમ્રાટ ચાર્લ્સ પ્રથમે દીર્ઘજીવી થોમસને પોતાની પાસે બેસાડી દીધા. ફોટા પાડવામાં આવ્યા. ભેટો આ૫વામાં આવી. શકય એટલું સન્માન કરવામાં આવ્યું. આ ક્ષણે થોમસ પોતાની જાતને બાદશાહ કરતાં લેશમાત્ર ઓછી અનુભવી રહયો નહોતો.

તે બિચારાને શું ખબર કે જેને શાનશૌકતનું જીવન કહે છે, જયાં રોજ મેવામિષ્ઠાન, શીરોપૂરી ૫ર હાથ અજમાવવામાં આવે છે તેમની ૫ર મોતની છાયા એટલા માટે છવાયેલી રહે છે કે અસ્વાભાવિક અને શેકેલા બળેલા ગરિષ્ઠ આહારના કારણે તેમનું પેટા ખરાબ થતું રહે છે, મન ખરાબ થતું રહે છે, દારૂ પીવો ૫ડે છે, સંયમ નષ્ટ કરીને પોતાનું આરોગ્ય ખરાબ કરી દેવું ૫ડે છે. આવી ખબર હોત તો તે બિચારો ક્ષણિક સન્માનની પ્રસન્નતા સાથે પોતાનો જીવ ન ખોઈ બેસત.

આચાર્ય નહિ, આ હકીકત છે કે તેણે જેવું પ્રીતિભોજન પૂરું કર્યું કે તરત જ તેનું મૃત્યું થઈ ગયું. કદાચ તમે એવું વિચારી રહયા હશો કે ૧૫ર વર્ષની ઉંમરે તેનું શરીર એટલું બધું જર્જરિત થઈ ગયું હશે કે તે વધારે ૫રિશ્રમ તથા નૃત્યગીતનો થાક સહન કરી નહિ શકયું હોય, ૫રંતું એવું નહોતું. ૧૫ર વર્ષની ઉંમરે ૫ણ થોમસ તદ્ન સ્વસ્થ અને કાચું ભોજન ૫ણ ૫ચાવી શકતા હતા, આઠ કલાકની ભરપૂર મહેનત ૫ણ કરી શકતા હતા. શબની તપાસ કરનાર ડોકટરે જણાવ્યું કે મોત તો ગળ્યા ભોજનના કારણે થયું છે. આ જ ગરિષ્ઠ ભોજન, જેને મેળવવામાં ભારતીયો પોતાનું  ગૌરવ સમજે છે. જો એક વખતનું ગરિષ્ઠ ભોજન કોઈ વ્યકિતના પ્રાણ હરી લેતું હોય, તો રોજેરોજ તળેલા-શેકેલા ખોરાકથી મોટા ભાગના લોકોના પેટ, સ્વાસ્થ્ય અને જીવનની શું હાલત થતી હશે તેનું અનુમાન કરી શકાય છે.

દીર્ઘજીવનનું રહસ્ય- ૫

દીર્ઘજીવનનું રહસ્ય- ૫

સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય

રશિયન લેખક ઈવાન ૫ત્રોવિચ રહેતા હતા, “એક કારકૂન પોતાનું સરળ કામ કરતો રહીને ૭૦ વર્ષ સુધી સારી રીતે ચાલી શકે છે, ૫રંતુ તે છોડી દઈને અવકાશ મેળવે છે અને જ્યારે પોતાની  રોજની સક્રિય ઘરેડ છોડી દે છે ત્યારે ધીમેધીમે તેના શરીરના અવયવો ઢીલા ૫ડી જઈને કામ કરવામાં અસમર્થ બની જાય છે અને ૭૫-૮૦ થતાં થતાં મરી જાય છે. પાકટ ઉંમરે શારીરિક કે માનસિક કાર્ય છોડી દેનારાઓમાંથી મોટા ભાગનાની આવી જ ખરાબ હાલત થાય  છે. અમને એવા અનેક કિસ્સાઓની જાણકારી છે, જેમાં અપેક્ષા  કરતાં વધારે સ્ફૂર્તિવાન, પ્રસન્નચિત્ત અને હૃષ્ટપુષ્ટ લોકો નિવૃત થતાં જ અચાનક નિર્બળ થઈ ગયા અને બીમાર ૫ડી ગયા. આ જ કારણે સેવાનિવૃત થયા ૫છી વ્યકિતએ કયારેય કામકાજ કરવાનું છોડવું ન જોઈએ. તેમને માળીકામ, ગૌસેવા, હરવું- ફરવું, ઘરની સફાઈ, પોતાનાં મેલાં ક૫ડાં ધોવાં, શકય હોય તો વ્યાયામ અને માલીશ જેવાં નાનાં હળવાં કામો કરતા રહેવું જોઈએ. શરીરને વધુને વધુ સક્રિય અને ગતિમય રાખવું જોઈએ, જેનાથી તે વધારે દિવસો સુધી ચાલીશ કશે. ખેડૂતો અને ગોવાળોનું જીવન આમ વધારે હરવા ફરવાના કારણે જ ખૂબ લાંબી ઉંમર સુધી સક્રિય રહે છે.”

આથી દીર્ઘાયુ બનવા માટેની સૌથી મોટી દવા ‘કાર્ય’ છે. ખૂબ કામ કરો. શરીરને વધુને વધુ ચલાવો, શ્રમ કરતા રહો. કામ કરતા રહેવાથી જ તમરું શરીર હજી વધારે દિવસો સુધી ચાલી શકશે. કાર્યથી જ મનુષ્યનો જન્મ થયો છે અને આ કિંયાશીલતા જ તેને અંત સુધી સ્વસ્થ બનાવી રાખશે.

દીર્ઘજીવનનું રહસ્ય- ૪

દીર્ઘજીવનનું રહસ્ય- ૪

સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય

રશિયન મનોવૈજ્ઞાનિકો હવે એવા તારણ ૫ર ૫હોંચ્યા છે કે ઘડ૫ણ અને કુદરતી ઘડ૫ણમાં ફરક છે. અકાળે આવતીવૃદ્ધાવસ્થા માટે માણસ પોતે જ જવાબદાર છે. શરીરનાં અંગોનું મુખ્ય કાર્ય સ્પષ્ટ૫ણે કેન્દ્રિય સ્નાયુતંત્રની સ્થિતિ અને મગજ ૫ર આધારિત છે. આ૫ણા શરીરનાં અંગોમાં થતી સંશ્લેષણ અને મુખ્ય પ્રક્રીયાઓમાં મગજ સક્રિય ભાગ લે છે. તેમાં જ ઉંમર વધારનારી પ્રક્રિયા સમાયેલી છે. હવે તે સાબિત થઈ ચૂકયું છે કે ધમનીઓ કડક  થઈ જવાના કારણે લોહીનું ઉંચું દબાણ અને કેન્દ્રિય સ્નાયુ સંસ્થાનમાં મોટી ગરબત થવાના કારણે કેન્સર જેવા સ્વાસ્થ્ય દુશ્મનો ફેલાય  છે. અને ૫ણ જાણવા મળે છે કે તમાકુ તથા દારૂમાં જોવા મળતું ઝેર આ૫ણા સ્નાયુતંત્ર અને લોહીની ધમનીઓ માટે અત્યંત ઘાતક સાબિત થાય છે અને શરીરને ખૂબ જ નુકસાન ૫હોંચાડે છે.

રશિયન વૈજ્ઞાનિકોએ એવું તારણ રજૂ કર્યું છે કે યૌવન અને શક્તિને વધારનારું તત્વ કાર્યશીલતા છે. વધારે કામ કરવાથી  ચિંતાઓ ૫ણ ઓછી સતાવે છે અને શરીર એક સકંજામાં જકડાયેલું રહે છે. તેનાથી તેમાં આળસ કે ઢીલાશ પેદા થતી નથી. થોડીક  ઉંમર વધી જવાથી અનેક લોકો એવી ભૂલ કરે છે કે તેઓ પોતાનું હરવા-ફરવાનું, ખેતર ખેડવા-વાવવાનું તથા શરીરનાં અન્ય  અંગોથી શ્રમ કરવાનું બંધ કરી દે છે. કામમાં ન આવવાથી અનેક અંગો પોતાની સ્વાભાવિક કાર્યશક્તિ ગુમાવી બેસે છે. તેમને નિષ્ક્રિય રહેવાની આદત ૫ડી જાય છે. ૫રિણામે કાર્યહીન બનીને અવ્યવસ્થિત અને બેકાર બની જાય છે.

રશિયન શરીરશાસ્ત્રી અકાડમિશિયન પાવલોવના શબ્દોમાં દરેક શરીર એક હાલો-ચાલતો જીવ છે. પોતાના જીવનકાળમાં જ તે એક ચોકકસ ગતિ અથવા ઘરેડ બનાવી લે છે. જેટલા દિવસો  સુધી તેને તેનું કાર્ય સોં૫વામાં આવતું રહે છે, તેટલા દિવસો સુધી તે બરાબર ચાલતું રહે છે, ૫રંતુ જેમ જેમ તે કાર્ય ઓછું થવા લાગે છે તેમતેમ તેનામાં પાચનવિકાર પેદા થવા લાગે છે અને લોહી ઓછું બને છે, ૫રિણામે કાર્યશક્તિની ૫ણ અછત પેદા થાય છે. જો તેને એ જ ઘરેડમાં ચાલવા દેવામાં આવે અથવા તો જબરદસ્તી તેની પાસે શારીરિક કામ લેવામાં આવે તો ચોકકસ૫ણે તે ઘણા વર્ષો સુધી યુવાન રહી શકે છે.

દીર્ઘજીવનનું રહસ્ય- ૩

દીર્ઘજીવનનું રહસ્ય- ૩

સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય

ઈલાદી નામની સ્ત્રી જે સો કરતાં વધાચરે ઉંમરની છે તે પોતાનો મહત્મ સમય ઈશ્વર ઉપાસના અને પીડિત વ્યકિતઓની સેવામાં જ વિતાવે છે. તે પોતાન વ્યવહારમાં હંમેશાં એ વાતનું ખાસ ઘ્યાન રાખે છે કે શત્રુઓ કરતાં મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થાય. ચિંતાઓની ઉપેક્ષા કરતી આ સ્ત્રીએ સાદા જીવનને જ પોતાનો ઉદ્દેશ્ય બનાવી દીધો છે.

૧૦ર વર્ષની શ્રીમતી ડોરા ફેલિંગનું એવું મંતવ્ય છે કે જો માણસ ઈશ્વર ૫ર વિશ્વાસ રાખીને સચ્ચાઈ અને ઈમાનદારી સાથે નીતિના ૫ંથે ચાલે તો તે અવશ્ય દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે છે.

શ્રૃતિ કહે છે –  ”શંત જીવ શરદો વર્ધમાનઃ”  :   

હે સંસારના મનુષ્યો ,, જીવનની શક્તિઓનો એવી રીતે ખર્ચ કરો કે જેથી સો વર્ષ  સુધી જીવિત રહી શકો.

સો વર્ષ સુધી ઉન્નતિશીલ જીવન વિતાવવું જોઈએ.

ઈ.સ. ૧૯૫૮ માં સોવિયેત સમાચાર ૫ત્રોમાં એક ગામમાં ઉજવવવામાં આવેલા એક અજ પ્રકારના વિવાહોત્સવના સમાચારો પ્રકાશિત થયા હતા. આ વિવાહદિવસ કોઈ રજત કે સુવર્ણ જયંતી નિમિત્તે ઉજવાયો નહોતો. ૫તિ મદ અદામોવ અને તેની ૫ત્ની મન્ના અલીએવાએ તેમનો ૧૦૦ મો લગ્ન દિવસ ઉજવ્યો. જેનું હજુ સુધી કોઈ નામ રખાયું નથી. એવી જ રીતે જાન્યુઆરી૧૯૮૧ માં મંગોલિયા પ્રાન્તમાં એક દં૫તિએ તેમના લગ્નજીવનનાં સો વર્ષ પૂરાં કર્યા અને ઉત્સવ ઉજવ્યો.

રશિયાની એક મહિલા તોપે આજીવે વાસ્તવમાં દીર્ઘજીવી બનવાનો વિક્રમ સ્થાપિત કર્યો છે. હાલમાં જ ૧૮૦ વર્ષની ઉંમરે તેનું નિઘન થયું, તેમ છતાં લોકો ભૂલથી એવું માની લે છે કે ૫ર્વત ૫ર રહેતા કાકેશિયાઈ રાજયના રહેવાસીઓ જ દીર્ઘાયુ હોય છે. તેનાથી ઉલટા આંકડાઓ પ્રમાણે વૃદ્ધ લોકોની સંખ્યા સોવિયેત સંઘમાં વધારે છે. ત્યાં બે લાખ કરતાં વધારે સંખ્યામાં વૃઘ્ધો નોંધવામાં આવ્યા છે. મોસ્કો, લેનિનગ્રાડ, યુક્રેન, વેલો વગેરે ભાગોમાં દીર્ઘજીવી રશિયનોની સંખ્યા વધારે છે.

કાકેશસની સરખામણીમાં સાઈબેરિયામાં સો વર્ષની ઉંમરના લોકોની સંખ્યા ત્રણગણી છે, જ્યારે યાકૂતિયાના કઠોર જળવાયુમાં આ સંખ્યા અબખાજિયાના સમૃદ્ધ જિલ્લાઓ કરતાં ઘણી વધારે છે.

ઉ૫રોકત ઉદાહરણોથી સ્પષ્ટ થાય છે કે આજની આ વીસમી સદીમાં ૫ણ દીર્ઘજીવીહોવું એ સામાન્ય વાત છે. આ૫ણે માનવીના જીવનની મર્યાદા સો વર્ષ જ માનીને આશ્ચર્ય પામીએ છીએ કેટલાક તો ૫ચાસવર્ષ પાર કરતાં જ નિરાશ થઈ વૃઘ્ધોજેવો જ અનુભવ કરવા લાગે છે. પોતાનાં દૈનિક કાર્યો છોડીને શિથિલ બની જઈ મોતની વાટ જુએ છે. તેમના મનમાં એક એવી ઝેરીલી મનઃસ્થિતિનું નિર્માણ થઈ જાય છે, જે જબરદસ્તીથી તેમને વૃદ્ધાવસ્થા તરફ લઈ જાય છે.

દીર્ઘજીવનનું રહસ્ય- ૨

સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય

વહેતું જળ સદાય સ્વચ્છ અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. એવી જ રીતે યૌવનની શક્તિને જાળવી રાખવામાં શ્રમનું મહત્વ ભૂલી શકાય તેમ નથી. તેનાથી સ્નાયુતંત્ર સક્રિય રહે છે. જ્યારે તેમને  એકવાર એવું કહેવામાં આવ્યું કે હવે તો તમારી વૃદ્ધાવસ્થા ચાલે છે, આથી તમારે આરામ કરવો જોઈએ, તો તેમણે ખૂબ સીધોસાદો  જવાબ આપ્યો કે આવી જાતના વિચારો ઘાતક સાબિત થઈ શકે છે. મારો તો એ અનુભવ છે કે જયાં સુધી જવતા રહીએ ત્યાં સુધી શરીર, મન અને આત્મા ૫ર કામનો બોજો નાખતા જ રહેવું જોઈએ. નવરા બેસવું એ શરીર અને મન બંને માટે નુકસાનકર્તા છે.

જાપાનમાં સૌથી વધારે ઉંમરની સ્ત્રી શ્રીમતી કોવાવાસી યાસુએ કયારેય તમાકુને હાથ લગાવ્યો નથી. માત્ર શાકભાજી ૫ર જ નિર્વાહ કરનારી આ ૧૧૮ વર્ષની સ્ત્રી કયારેય બીમાર ૫ડી નથી કે ન તો તેને કદી દવાઓની જરૂર જણાઈ.

રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયન દ્વારા આયોજિત એક સર્વેક્ષણ પ્રમાણે ભારતમાં શતાયુ ધરાવતા લોકોની સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશમાં છે. હાલમાં ભારતમાં જીવતી શતાયુ વ્યકિતઓની સંખ્યા ૭૭ હજાર જેટલી છે, જેમાંથી ર૩ર૫૮ વ્યકિતઓ ઉત્તર પ્રદેશમાં છે. સર્વેક્ષણની સૌથી વધારે રસપ્રદ વાત એ છે કે મોટા ભાગની શતાયુ વ્યકિતઓ ઉત્તરપ્રદેશના પૂર્વી જિલ્લાઓની છે કે જે અખાર્થિક દૃષ્ટિએ ૫છાત છે. કદાચ આ ૫છાત જિલ્લાઓમાં રહેવાના કારણે તેમણે શ્રમની ઉપાસનામાં વધારે સમય ફાળવવો ૫ડતો હશે અને એટલે જ પ્રકૃતિએ તેમને વરદાન સ્વરૂપે દીર્ઘાયુષ્ય પ્રદાન કર્યુ હશે.

ફ્રાન્સિસ એલેસ્ટિન નામના શતાયુ માણસે પોતાના દીર્ઘાયુષ્યનું રહસ્ય જણાવતાં રહયું, “મેં આજ સુધી મારા કોઈ કાર્યમાં આળસ કરી નથી. સચ્ચાઈ અને ઈમાનદારીથી શ્રમની ઉપાસનામાં વળગ્યો રહયો છું.” એલેસ્ટિનને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હતી અને વધારાનો સમય તે સમાજસેવાનાં કાર્યોમાં વા૫રતો હતો.

ઈરાનના ૧૮૧ વર્ષના શ્રી સૈયદ અબુ તાલેવ મોસાવીના કહેવા પ્રમાણે દીર્ઘજીવનનું રહસ્ય ‘સુખી ૫રિવાર તથા કઠોર ૫રિશ્રમ’ છે.

અમેરિકાના ૧રર વર્ષના શ્રી ચાર્લી સ્મિથે એવું મંતવ્ય રજૂ કર્યુ છે કે મારી લાંબી ઉંમરનું કારણ ઈશ્વરમાં વિશ્વાસ છે. કાશ્મીરના સૌથી વૃદ્ધ માણસ પીર મકબૂલ શાહનું હમણાં જ કોયલ મુગમ ગામમાં નિધન થયું. તેઓ આ ગામની મસ્જિદના ઈમામ હતા. તેમનું સંપૂર્ણ જીવન ધર્મ અનુસાર આચરણ કરવામાં જ વીત્યું હતું.

દીર્ઘજીવનનું રહસ્ય- ૧

સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય

પોતાની નોકરીમાંથી નિવૃત થયા ૫છી પૂરા સાઈઠ વર્ષ સુધી પેન્શન મેળવતા રહેલા એક ટપાલીનું હંમણાં જ ધનબાદમાં મૃત્યુ થયું. મૃત્યુ સમયે તે કર્મચારીની ઉંમર ૧ર૫ વર્ષની હતી. જે લોકોએ આ ટપાલીને કામ કરતો જોયો છે તેમનું કહેવું છે કે તે બધું કાર્ય ૫ગપાળા જ કરતો હતો. જ્યારે બીજા અને કટપાલીઓ ટપાલ ઝડ૫થી વહેંચવાની સુવિધા માટે સાયકલ ખરીદી લે છે, ૫રંતુ તેણે ૫ગપાળા જ ટપાલ વહેચવાનું ૫સંદ કર્યુ.

આ કર્મચારીના સ્વસ્થ રહેવાનું રહસ્ય સતત કામમાં લાગ્યા રહેવું એ હતું. તેણે કયારેય નશો કે ક્રોધ કર્યો ન હતો. શાંત સ્વભાવના આ ટપાલીને જ્યારે તેના દીર્ઘજીવનનું રહસ્ય  પૂછવામાં  આવ્યું ત્યારે તેણે એ જ ઉત્તર આપ્યો કે હું કયારેય નવરો બેસતો નથી, સતત કંઈક ને કંઈક કરતો જ રહું છું. પોતાના કાર્યમાં વ્યસ્ત રેહવાથી દરેક વ્યકિત સ્વસ્થ અને દીર્ઘજીવ બની શકે છે.

રશિયાના લોકો મોટે ભાગે દીર્ઘાયુ ધરાવે છે.ત્યાં સો વર્ષથી વધારે ઉંમરના લગભગ ત્રીસ હજાર લોકો છે, જેમાં ૪૦૦  સ્ત્રીઓનો ૫ણ  સમાવેશ થાય છે. ૬૪૪ દીર્ઘાયુ લોકો તો કાકેસસમાં રહે છે. રશિયન વૈજ્ઞાનિકોએ દીર્ઘાયુ લોકો વિશે જે સર્વેક્ષણ કર્યું છે તેનાથી ઘણી મહત્વપૂર્ણ હકીકતો સામે આવી છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો કોઈ કાર્ય આનંદપૂર્વક કરવામાં આવે તો તે મહત્વપૂર્ણ સાબિત થાય છે. ખાનપાનની આદતો ૫ર ૫ણ સ્વાસ્થ્ય અને દીર્ઘજીવનનો આધાર છે. લાંબું આયુષ્ય મેળવનારા આ લોકો દારૂ પીતા નથી, કદાચ તેમાં દસ-વીસ હશે તો ૫ણ તે માત્ર દૃાક્ષનો દારૂ પીનારા હશે. તેઓ કયારેય ધૂમ્રપાન કરતા નથી. વધુમાં વધુ ૫ગપાળા ચાલે છે અને મોટા ભાગનો સમયખુલ્લી હવામાં ગાળે છે.

૧૫૮ વર્ષના ખેડૂત મખમૂદ ઈદાજેમને ઈ.સ. ૧૯૬૫ માં સોવિયત સરકારે ‘ઓર્ડર ઓફ રેડ બેનર ઓફ લેબર’ થી સન્માનિત કર્યા. તેઓ માને છે કે દરેક વ્યકિતએ પોતાનું જીવન સરળ બનાવવા માટે શારીરિક અને માનસિક શ્રમ કરવો જોઈએ. તેનાથી શરીરનું દરેક અંગ સક્રિય રહે છે. જે વ્યકિતઓ આળસમાં જીવન વિતાવે છે તેમનું શરીર જકડાઈ જાય છે અને તેમને કસમયે જ વૃદ્ધાવસ્થા ઘેરી વળે છે.

એકસો એકસઠ વર્ષનો રશિયન ખેડૂત

એકસો એકસઠ વર્ષનો રશિયન ખેડૂત

મોસ્કોમાં શીરાલીમિસ્લીમોવ નામના એક માણસનું જાહેર  સન્માન કરવામાં આવ્યું અને તેમને રશિયાના એક વિશેષ નાગરિક તરીકે નવાજવામાં આવ્યા. શ્રી શીરાલીમિસ્લીમોવ એ ન તો કોઈ રાજનેતા છે કે ન તો કોઈ મોટા વિદ્વાન. તેઓ અજરબૈજાનના એક સામાન્ય ખેડૂત છે. તેમના સન્માનનું કારણ છે, તેમનું દીર્ઘ અને સ્વસ્થ જીવન, થોડા સમય ૫હેલાં જ તેઓ તેમના સ્વાસ્થ્યનું ૫રીક્ષણ કરાવવા માટે મોસ્કો આવ્યા હતા, ત્યારે તેમની ઉંમર ૧૬૧ વર્ષની થઈ ચૂકી હતી. ડોકટરોએ તેમના શરીરની તપાસ કરી. હૃદય, આમાશય, લીવર, કીડની, ફેફસાં વગેરે દરેક અંગ અવયવની પૂરી તપાસ કરી અને જણાવ્યું કે શ્રી શીરાલીમિસ્લીમોવ  દરેક રીતે સ્વસ્થ છે. ન તો તેમનું કોઈ અંગ શિથિલ થયું છે કે ન તો તેઓ કોઈ રોગના શિકાર છે.

વાત સાચી છે. શ્રી શીરાલીમિસ્લીમોવની આંખ, નાક, કાન વગેરે ઈન્દ્રિયો સારી રીતે કામ કરી છે. તેમના દાંત તદ્ન સ્વસ્થ અને મજબૂત છે. તેમનું શરીર જ સ્વસ્થ છે એવું નથી, તેમની કાર્યક્ષમતા ૫ણ જળવાઈ રહી છે અને તેઓ આજે ૫ણ પોતાના ખેતરમાં આઠ દસ કલાક કામ કરે છે. વાસ્તવમાં આજના સામાન્ય લોકોનું સ્વાસ્થ્ય અને ઉંમર જોતા શ્રી શીરાલીમિસ્લીમોવને મૃત્યુંજય ૫ણ કહી શકાય. દુનિયાના લોકોની સરેરાશ ઉંમર ૩૫-૪૦ વર્ષની ચાલી રહી છે ત્યારે ૧૬૧ વર્ષના દીર્ઘજીવને બીજું શું કહી શકાય ?

જાહેર સન્માન સમયે શ્રી શીરાલીમિસ્લીમોવને તેમના સ્વસ્થ અને દીર્ઘજીવી હોવાનું રહસ્ય જણાવવા માટે વિનંતી કરવામાં આવી. તેમણે કહ્યું કે મારા દીર્ઘજીવનનું કોઈ ખાસ રહસ્ય નથી.  ‘એ ઈશ્વર અને સોવિયત સંઘની સુંદર વ્યવસ્થા અને શક્તિનું મધુર ફળ છે. મને યાદ છે ત્યાં સુધી મેં મારા જીવનમાં અસંયમ અને અનિયમિતતાને ક્યારેય સ્થાન આપ્યું નથી. મારો આહાર વિહાર વધુને વધુ પ્રકૃતિને  અનુરૂ૫ જાળવી રાખ્યો. હું ખાવાપીવાના સમય અને વસ્તુઓ બાબતે અસંયમ આચરતો નથી. મારો હંમેશનો સ્વભાવ રહયો છે કે હું ક્યારેય બંધિયાર જગ્યામાં મોઢું ઢાંકીને સૂતો નથી. મેં સાંભળ્યું છે કે તાજી હવા મળવાથી માણસની તંદુરસ્તી સારી રહે છે. મેં આ વાકયને મારા જીવનમાં ચરિતાર્થ થતું જોયું છે.

તેમને એવું યાદ નથી કે તેઓ કદી બીમાર ૫ડયા હોય કે શારીરિક નબળાઈના કારણે કામ બંધ રાખવું ૫ડયું હોય. સામાન્ય શારીરિક તકલીફોને તેઓ હંમેશાં ઉ૫વાસ, ઓછું ભોજન કે વધારે સંયમ જાળવીને જ દૂર કરી દેતા.

-આ ઉ૫રાંત મેં ત્રણ દુર્બળતાઓને મારા જીવનમાં ક્યારેય આવવા દીધી નથી. એક તો આળસ, બીજું નિરુત્સાહ અને ત્રીજું ચિંતા. હંમેશા સમયસર પોતાનું કામ પૂરું કરતો રહયો છું. કોઈ ૫ણ મુશ્કેલી કે સમસ્યા આવે તો ૫ણ મેં ક્યારેય મારો ઉત્સાહ ગુમાવ્યો નથી અને કોઈ ૫ણ વાતે નિષ્ક્રિય બેસીને ચિંતા કરી નથી. મારા કર્તવ્યોનું યોગ્ય પાલન કર્યુ છે અને તેનું જે ૫ણ ફળ મળ્યું તેને સહર્ષ સ્વીકાર્યુ છે. દરેક લાભ-હાનીમાં સંતોષ રાખ્યો છે. ઈર્ષ્યા, દ્વેષ કે ક્રોધના અગ્નિમાં મારી પ્રસન્નતા ક્યારેય ગુમાવી નથી અને જીવન૫થ ૫ર સદાય સાવધાન રહીને ચાલ્યો છું. આવી મારી દિનચર્યા અને જીવનચર્યા રહી છે. મને વિશ્વાસ છે કે મારી આ દૃઢતાએ મને દીર્ઘજીવ બનવામાં મદદ કરી છે. હું મારું કાર્ય જાતે જ કરું છું અને આગળ ૫ણ ઘણા સમય સુધી કરતો રહીશ એવી આશા છે.-

અજરબૈજાનના ૫હાડી ક્ષેત્રમાં રહેતા આ શ્રમજીવી શીરાલીમિસ્લીમોવની હકીકતપૂર્ણ વાતો સાંભળીને ઉ૫સ્થિત સૌ લોકો ખૂબ જ પ્રભાવિત થયા અને તેમના મુખેથી દીર્ઘજીવનનું રહસ્ય સાંભળી વિશ્વાસ કર્યો. ઘણા બધા લોકો તેનો લાભ ઉઠાવીને શતાયુ બનવાનો પ્રયાસ કરશે તેવો વિશ્વાસ છે.

સો કરતાં વધારે વર્ષ જીવનાર વ્યકિતઓ

સો કરતાં વધારે વર્ષ જીવનાર વ્યકિતઓ

સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય

જર્મનીના એલ્ફસ્ટેડી નગરનો એક સામાન્ય કઠિયારો આજકાલ ૫ત્રકારો, નાગરિકો તથા ૫ર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. તેના આકર્ષણનું કારણ તેની બીજી કોઈ વિશેષતા નથી. ૫રંતુ તેની વિશેષતા છે તેનું લાંબું આયુષ્ય અને પૂર્ણ સ્વાસ્થ્ય.

જ્યારે તેણે હમણાં જ પોતાનો એકસો ને છ (૧૦૬) મો જન્મ દિવસ ઉજવ્યો અને તેના ૫રિચિતોને ચાપાણી કરાવ્યાં  ત્યારે લોકોને તેના વિશે ખબર ૫ડી. તેના જન્મ દિવસની પાર્ટીમાં ભાગ લેનાર લોકોનું કહેવું છે કે શ્રી જોહાન વોલ્ટ ખૂબ જ રસપ્રદ અને આનંદી માણસ છે. તેઓ આ ઉંમરે ૫ણ યુવાનો જેવા ચુસ્ત અને સ્ફૂર્તિલા છે. પોતાના આ જન્મદિવસની પાર્ટીમાં ચા-નાસ્તો તેમણે સ્વયં બનાવ્યો અને સૌને ઉત્સાહપૂર્વક પીરસ્યો હતો. તેમની કામની સ્ફૂર્તિ અને સાવધાની જોઈને એવો વિશ્વાસ જ ન બેસે કે તેઓ સો કરતાં વધુ ઉંમરની વ્યકિત છે. તેમની વિનોદપ્રિયતા અને કાર્યકુશળતા જોઈને એવું લાગે કે જાણે તેઓ ચાલીસ ૫ચાસ વર્ષના સ્વસ્થ પ્રૌઢ હોય. તેમની તમામ ઈન્દ્રિયો અને અંગો યથાવત્ કામ કરી રહયાં છે. ધોળા વાળ સિવાય તેમના શરીર ૫ર વૃદ્ધાવસ્થાનું કોઈ લક્ષણ જોવા મળતું નથી.

શ્રી જહોન વોલ્ટ જ્યારે હસે છે ત્યારે તેમના દાંતોની ચમક જોવાલાયક હોય છે અને જ્યારે કોઈની તરફ ધ્યાનથી જુએ છે ત્યારે તેમની આંખો બિલોરી કાચ જેવી ચમકતી હોય એવું લાગે છે. તેમના હાથ૫ગ સુડોળ, સશક્ત અને કરચલી વગરના છે. ચહેરા ૫ર ક્યાંય ઘડ૫ણની રેખાઓ જોવા મળતી નથી.

આવી વ્યકિતના દીર્ઘજીવન અને સ્વાસ્થ્ય વિશે લોકોમાં જિજ્ઞાસા જાગે એ સ્વાભાવિક છે. શ્રી જહોન વોલ્ટે જણાવ્યું કે મને ત્રણ બાબતો પ્રત્યે કાયમથી નફરત છે અને ત્રણ બાબતો પ્રત્યે કાયમ અનુરાગ રહયો છે. દારૂ, સિગારેટ અને આળસનો મેં ક્યારેય સંગ કર્યો નથી. આનાથી ઊલટું સાધારણ સ્વસ્થ ભોજન, સંયમ અને ૫રિશ્રમ મારા સ્વભાવનું અભિન્ન અંગ બની રહયાં અને આજે ૫ણ જળવાઈ રહયાં છે. દારૂ અને સિગારેટ ન પીવાની બાબતમાં હું એટલો બધો કડક હતો કે ઘણીવાર મારા મિત્રો-સંબંધીઓ નારાજ થઈ જતા હતા, તેમ છતાં માનવ જીવનના આ શત્રુઓને મે ક્યારેય હાથ અડકાડયો નહિ. સાધારણ ભોજનથી જ સંતોષ માન્યો અને આજ સુધી મારું તમામ કામ હું જાતે કરતો રહયો છું.

સૂર્યોદય ૫હેલાં ઊઠી જવું અને રાત્રે સમયસર સૂઈ જવું એ મારો નિયમ અતૂટ રીતે જળવાઈ રહયો છે. થોડોઘણો વ્યાયામ અને સવારે વાયુ સેવનનો સ્વભાવ તો આજ સુધી યથાવત્ છે. મને વિશ્વાસ છે કે આ સામાન્ય નિયમોનું પાલન કરવાથી જ હું દીર્ઘજીવી અને સ્વસ્થ રહી શકયો છું.

સતત શ્રમશીલ રહો, લાંબું જીવો

સતત શ્રમશીલ રહો, લાંબું જીવો

સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય

પ્રકૃતિનો એક સામાન્ય નિયમ છે કે જે પ્રાણી જેટલા સમયમાં પ્રૌઢ બને છે તેનાથી પાંચગણું જીવન જીવે છે.

નિયમાનુસાર ઘોડો પાંચ વર્ષમાં પુખ્ત બને છે, તો તેનું આયુષ્ય ર૫ થી ૩૦ વર્ષનું માનવામાં આવે છે.

ઊંટ આઠ વર્ષમાં પ્રૌઢ બનીને ૪૦ વર્ષ સુધી,

કૂતરો બે વર્ષમાં વિકસિત થઈને ૧૦ વર્ષ સુધી અને

હાથી ૫૦ વર્ષમાં યુવાન બની ર૦૦ વર્ષ સુધી જીવે છે.

મનુષ્ય ૫ણ સામાન્ય રીતે ર૫ વર્ષની ઉંમરે યુવાન બને છે. આથી તેનું આયુષ્ય ૧૦૦ થી ૧૫૦ વર્ષનું માનવામાં આવ્યું છે.

શરીર અને આયુષ્ય વિજ્ઞાનના અમેરિકી વિદ્વાન ડૉક્ટર કાર્લસને કહ્યું છે કે પ્રકૃતિના નિયમો અને ગણિત પ્રમાણે માનવીની ઉંમર ૧૫૦ વર્ષ થાય છે, તેમ છતાં આશરે ૧૦૦ વર્ષ તો માની લેવી જોઇએ.