૪. આત્મનિરીક્ષણ કરો, આત્મનિર્ણયની દિશા
October 24, 2008 Leave a comment
આત્મનિરીક્ષણ કરો :
આપણે આત્મનિરીક્ષણ તરફ આગળ વધીએ. આપણા પોતાના ભૂત, વર્તમાન અને ભવિષ્ય દ્વારા પણ જ્ઞાન મેળવવું જોઈએ. માત્ર અધોગામીઓ તરફ ન જોતાં પવન અને અગ્નિની જેમ ઉપર ઉઠનાર વ્યક્તિઓ તરફ પણ ધ્યાન આપવું જોઈએ. તે તરફ પણ જોવું જોઈએ કે જે માર્ગ મહામાનવોએ અપનાવ્યો છે અને ઉત્કૃષ્ટ આદર્શવાદિતાના માર્ગે ચાલીને અનુગામીઓને એવો માર્ગ બતાવ્યો છે કે જેનું અનુકરણ કરીને તેનો પોતાને તથા પોતાના સાથી સહચરોને પણ ધન્ય બનાવી શકે. જો સમજદારી હોય તો આપણે એવા નિર્ણય પર આવવું જોઈએ કે પતનના માર્ગ તરફથી પાછા વળીને ઉત્થાનનો માર્ગ અપનાવવો જ કલ્યાણકારી છે.
પ્રતિભાવો