ઈશ્વર અર્થાત્ પુરુષાર્થ
October 30, 2008 Leave a comment
ઈશ્વર અર્થાત્ પુરુષાર્થ
કોઈ બધાં કામ કરી જશે એવી આશા ભગવાન પાસે પણ ન રાખવી જોઈએ. ભૂલ અહીં જ થાય છે કે દૈવી સહાયતાનું નામ લેતાં જ લોકો એવું સમજે છે કે તે જાદુઈ લાકડી ફેરવશે અને આપણું ઈચ્છિત કામ થઈ જશે. આવા અતિવાદી લોકો ક્ષણવારમાં આસ્થા ગુમાવી બેસે છે. દૈવી શક્તિઓ પાસે, સૂક્ષ્મધારીઓ પાસે આપણે સામયિક સહાયતાની આશા રાખી શકીએ. સાથેસાથે આપણી ફરજોનું પાલન કરવા માટે કટિબદ્ધ પણ બનવું પડે. નિષ્ફળતા તથા મુશ્કેલીઓને એક સારા શિક્ષક માનીને આગળનાં કદમ વધુ સાવધાનીપૂર્વક તથા વધુ બહાદુરીથી ભરવાની તૈયારી રાખવી જોઈએ.
પ્રતિભાવો