આત્મવિશ્વાસ અને શિસ્ત
November 1, 2008 Leave a comment
નિયમ પાલનથી મનુષ્યમાં આત્મવિશ્વાસ અને શિસ્તની ભાવના આવે છે. જીવનને પ્રગતિ અને વિકાસને માટે આ બંને શક્તિઓ અનિવાર્ય છે. આત્મશક્તિ અથવા આત્મવિશ્વાસના અભાવમાં મનુષ્ય નાનાં નાનાં ભૌતિક પ્રયોજનોમાં જ લાગેલો રહે છે. શિસ્ત વિના જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. શક્તિ અને ધ્યાનનું કેન્દ્રીકરણ ન થઈ શકવાને કારણે કોઈ મહત્વપૂર્ણ સફળતા મળી શકતી નથી, આધ્યાત્મિક લક્ષ્યની પ્રાપ્તિને માટે વિખરાયેલી શક્તિઓને એકત્રિત કરીને તેમને મનોયોગપૂર્વક જીવન ધ્યેય તરફ વાળી રાખવાનું આચરણમાં નિયમબદ્ધતા રાખવાથી જ થઈ શકે છે. નિયમિતતા જીવનનો મુખ્ય આધાર છે. આત્મશોધનની પ્રક્રિયા તેના વડે જ પૂરી થઈ શકે છે.
પ્રતિભાવો