૩૯ ‘અંધકારમાંથી મને પ્રકાશ તરફ લઈ જા’, આંતરિક શત્રુઓથી બચો
November 8, 2008 1 Comment
‘અંધકારમાંથી મને પ્રકાશ તરફ લઈ જા’
પ્રકાશની અંત:ચેતનામાં સત્ય અને ચેતનાની સાથે સૌદર્ય પણ છે. અજ્ઞાન અંધ અને કુરૂપ છે. તેના પર હંમેશા પ્રકાશ શાસન કરે છે. વ્યાવહારિક જીવનમાં પણ જ્ઞાની માણસ જ અજ્ઞાની ઉપર વિજયી થાય છે. જ્ઞાનનો જ બધે આદર થાય છે. સૌંદર્ય બધાને મધુર અને પ્યારું લાગે છે. બધા તેના તરફ આકર્ષાય છે અને તેની પાસે થોડો સમય વિતાવવાની ઈચ્છા રાખે છે. પોતાના આ સ્વરૂપમાં તે લૌકિક સુખોનો દાતા બની જાય છે. એટલા માટે એ જરૂરી છે કે અંધકાર તરફ ન જતાં પ્રકાશ તરફ ગતિ કરો. આ પ્રકાશ જ જીવનમાં આનંદ બનીને ઓતપ્રોત થઈ જાય છે.
MAJA AAVI AAPNA BLOG MA
KASHYAP
LikeLike