૭૮. શૂરવીર બનો, જીવનસંઘર્ષના યોદ્ધા બનીએ
November 13, 2008 Leave a comment
શૂરવીર બનો.
શૂરવીર તેને કહેવાય છે, જે સત્યના માર્ગે એકલો ચાલી નીકળે. વિરોધ ગમે તેટલો મોટો હોય, ગમે તેટલા ઘનિષ્ઠ પ્રિયજનો દ્વારા કરવામાં આવ્યો હોય, પરંતુ જે સત્યને સર્વોપરી માનીને દરેક દબાણની સામે ઝૂકવાનો ઈંકાર કરી શકે, આંધળાં ઘેટાંનાંગમે તેટલાં ઝુંડ ભલેને ખાડામાં કેમ ન પડે, પરંતુ પોતાનો માર્ગ પોતે બનાવી લે અને એકલો ચાલી નીકળે એવા સિંહનાં વખાણ થાય છે.
નવનિર્માણના આગેવાનોની સાહસિકતા આવી કક્ષાની હોવી જોઈએ. સૌ પ્રથમ એમણે પોતાની ખોટી માન્યતાઓને બદલી નાખવી જોઈએ. અગ્રદૂતોની સાહસિકતા એ સ્તરની હોવી જોઈએ. તેનું પ્રથમ ચરણ પોતાની અવાંછનીય માન્યતાઓને બદલી નાખવામાં અને કાર્યપદ્ધતિમાં આવશ્યક ફેરફાર કરવા માટે એકવાર સંપૂર્ણ મનોબળ એકઠું કરી લેવું જોઈએ અને બીજાની નિંદા કે સ્તુતિની, વિરોધ કે સમર્થનની ચિંતા કર્યા વિના નક્કી કરેલાં માર્ગે એકલા ચાલી નીકળવું જોઈએ.
આવાં મોટાં કદમ જેઓ ઉઠાવી શકતા હોય તેમની પાસે તુગપરિવર્તનના મહાન અભિયાનમાં વાસ્તવિક યોગદાનની આશા રાખી શકાય.
પ્રતિભાવો