વિશ્વસનીયતા પ્રાપ્ત કરો.
November 13, 2008 Leave a comment
વિશ્વસનીયતા પ્રાપ્ત કરો.
બીજાને જે કહીએ તેનો અમલ કરવાનો શુભારંભ પોતાની જાતથી જ શરૂ કરીએ અને જે નિશ્ચય કર્યો હોય તેને દ્રઢતાપૂર્વક વળગી રહીએ. ગબડિયા લોટાની જેમ અહીંતહીં ગબડતા રહી પોતાની જાતને ઉપહાસપાત્ર ન બનાવીએ.
સંકલ્પો તથા નિશ્ચયો જો સુધાર અને સંયમ જેવા આદર્શવાદી પક્ષ સાથે જોડાયેલા હોય તો તે પૂરા કરવા જ જોઈએ. રામાયણની આ ચોપાઈ દરેક પ્રામાણિક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જ જોઈએ, જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રાણ જાય, પણ વચન ન જાય રોજ નવી પ્રતિજ્ઞાઓ કરનારા અને જુસ્સો ઠંડો પડતાં જ કાચિંડાની જેમ રંગ બદલનારા પોતાની હાંસી કરાવે છે અને અવિશ્વાસનું વાતાવરણ પેદા કરે છે.
પ્રતિભાવો