બીજાનાં કાર્યોમાં દખલગીરી :

બીજાનાં કાર્યોમાં દખલગીરી :

એ મનોવિજ્ઞાનનો વિષય છે કે ઈચ્છયા વગરની સલાહ, આચરણ યોગ્ય બાબતો, શિક્ષા, આલોચના કે યોજના કોઈને ગમતી નથી, ભલે પછી તે ગમે તેટલાં શ્રેષ્ઠ હોય.  બીજાઓ યોજના કે સલાહનો સ્વીકાર કરવામાં આપણો અહંકાર આડો આવે છે. આપણે પેલા કરતાં તુચ્છ છીએ એવું લાગે છે. પોતાના પરાજયનો ભાવ કોઈને ગમતો નથી.

જે જેવો છે એવા જ રહેવામાં એને સુખ અને સંતોષ મળે છે. એવા માણસો બીજાઓના અનુભવથી લાભ ઉઠાવતા નથી. એમને બીજાઓની સારી વિચારધારા અપનાવવાનું ગમતું નથી હોતું. એ પોતે જ કરતો હોય એમાં જ એને લાભ જણાય છે.

આ જ રીતે જો કોઈને મહેનત કર્યા વગર કોઈ વસ્તુ મફતમાં મળી જાય તો તે તેનું મુલ્ય સમજ્તો નથી. બીજાઓને આપેલી વસ્તુઓમાં એનું મમત્વ પ્રવેશતું નથી. મમત્વ ન હોવાના કારણે તે વસ્તુઓ એના વ્યક્તિત્વનું અંગ બની શકતી નથી.

ગુપ્ત મનમાં સંસ્કારો એક પ્રકારનો માનસિક માર્ગ ઉત્પન્ન કરે છે. જેવી રીતે ગાડું ચાલવાથી ચીલો પડી જાય છે એવી ગ રીતે આ માનસિક રેખાઓ બન્યા કરે છે. જે ધીમી ગતિએ એમનું નિર્માણ થાય છે એ જ ધીમી ગતિએ એમને દૂર કરીને નવા સંસ્કારો સ્થાપી શકાય છે.

-અખંડજયોતિ, જાન્યુઆરી-૧૯પર પેજ-25-26-27

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to બીજાનાં કાર્યોમાં દખલગીરી :

  1. chandravadan says:

    DAKHALGIRI…..it is a complex subject ! Whenever a person isnot open to the VIEWS of OTHERS he/she thinks an advice as a DAKHALGIRI…..If a person you care is on a wrong path, your duty is to give the right advice, whether that may be even taken as a DAKHALGIRI…..it is my way of thinking & Iwelcome the opinions of OTHERS.
    PLEASE do visit my Blog & read Posts on HOME.
    http://www.chandrapukar.wordpress.com

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: