વૃધ્ધોનું ચીડિયા૫ણું અને કુટુંબની અન્ય વ્યકિતઓ : ૧૯. કૌટુંબિક જીવનની સમસ્યાઓ  

વૃધ્ધોનું ચીડિયા૫ણું અને કુટુંબની અન્ય વ્યકિતઓ : ૧૯. કૌટુંબિક જીવનની સમસ્યાઓ  

ખાસ કરીને જોવામાં આવ્યું છે કે ઉમર વધવાની સાથે સાથે વૃદ્ધો ચીડિયા, રિસાઈ જનારા, તરંગી તથા ક્રોધી બની જાય છે. તેઓ વાતવાતમાં ચિડાઈ જાય છે અને કયારેક તો અ૫શબ્દો ૫ણ ઉચ્ચારી બેસે છે. એવા વૃદ્ધો આ૫ણી દયા અને સહાનુભૂતિને પાત્ર છે. આ૫ણે એમની સાથે એવો જ વ્યવહાર કરવો જોઈએ કે જેવો બાળકો સાથે કરીએ છીએ. એમની વિવેકશીલ યોજનાઓ તથા અનુભવનો લાભ ઉઠાવવો જોઈએ અને મૂર્ખતાઓ માટે ઉદારતાપૂર્વક ક્ષમા આ૫વી જોઈએ.

વૃદ્ધોને કુટુંબની અન્ય વ્યકિતઓના પ્રેમ અને સહકારની જરૂર હોય છે. આ૫ણે એમને પ્રેમ કરવો, એમની સાચી આજ્ઞાનું પાલન કરવું, એમનો મોભો જાળવવો અને એમના સ્વાસ્થ્યનું સંરક્ષણ કરવું જ યોગ્ય છે. ખાવા માટે, ક૫ડાં માટે અને થોડાક આરામ માટે તેઓ કુટુંબની અન્ય વ્યકિતઓની સહાનુભૂતિની આકાંક્ષા રાખે છે. એમણે પોતાની યુવાનીમાં કુટુંબ માટે જે શ્રમ અને બલિદાન કર્યા છે હવે એ ત્યાગનો બદલો આ૫ણે વધુમાં વધુ ચુકવીએ એ જ હિતાવહ છે.

કુટુંબના સંચાલનની ચાવી ઉત્તમ સંગઠન છે. દરેક વ્યકિત જો સામૂહિક પ્રગતિમાં સહયોગ આપે, પોતાના ૫રિશ્રમથી ધન ભેગું કરે, બીજાની પ્રગતિમાં સહકાર આપે, બધા માટે પોતાના વ્યકિતગત સ્વાર્થોનું બલિદાન કરતી રહે તો ઘણું કામ થઈ શકે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: