બીજા વર્ષમાં મંગલપ્રવેશ :
June 30, 2009 2 Comments
બીજા વર્ષમાં મંગલપ્રવેશ :
મારાં સૌ સ્નેહીજનો,
ગાયત્રી જ્ઞાનમંદિર – જેતપુર ઘ્વારા ‘જ્ઞાનયજ્ઞ’માં પ્રથમ વર્ષ દરમિયાન પ્રસાદીરૂપ જે અમૃતપાન કરાવવામાં આવ્યું તે બધું જ પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે “ગાયત્રી જ્ઞાન યજ્ઞ” દ્વારા ગુજરાતી વેબજગતને અર્પણ કરવામાં આવ્યું હતું.
મારી આ નિષ્ઠાપૂર્વકની ચેષ્ટાના સુફલ રૂપે દેશ વિદેશનાં અનેક વાચકોએ ૬૭૫ જેટલી એ પોસ્ટ્સનું સાત્ત્વિક, ચિંતનાત્મક અને જ્ઞાનદાયક વાચન ઉત્સાહ અને પ્રેમપૂર્વક વધાવી લીધું છે. ગયા એક વર્ષ દરમિયાનના આ વાચકોની સંખ્યા ૧૪,ર૩૭ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે એ સૌ તરફથી ગાયત્રી જ્ઞાનમંદિરને દક્ષિણારૂપે જ જાણે ન હોય, તેમ ઈ-મેઈલ તથા કોમેન્ટ્સ દ્વારા ઉત્સાહવર્ધક એવી ગતિશીલ પ્રેરણાનો સ્ત્રોત સતત પણ વહેતો રખાયો હતો ! આ જ કારણસર એક વર્ષનો સમયગાળો કેમ પૂરો થયો તેનો ખ્યાલ જ ન રહ્યો. જોતજોતામાં તો આ સુખદ અનુભવ આપનારું વર્ષ વીતી પણ ગયું ! આપ સૌ સ્નેહી વાચકજનો, મિત્રોનો ગાયત્રી જ્ઞાનમંદિર-જેતપુર તરફથી અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ…
આજે બીજા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક અભિયાનરૂપ ગાયત્રી જ્ઞાનયજ્ઞમાં દરરોજ પ્રસાદ સ્વરૂપે એક પોસ્ટ (આર્ટિકલ) મૂકવામાં આવશે, જેને નિયમિત૫ણે ઈ–મેઈલ ઘ્વારા મેળવવા માટે સબસ્ક્રાઈબ્ડ કરવા સૌને જણાવવામાં આવે છે.
યુગક્રાંતિના ઘડવૈયાની કલમેથી લખાયેલ
સુવિચારો અને વિવિધ લખાણો તમારા
E-mailથી નિયમિત મેળવો.
આ૫ સૌ મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો એટલું જ નહિ પણ આ૫ના અમૂલ્ય પ્રતિભાવો પણ આપતા રહેશો. કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે દરેક આર્ટીકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પણ પ્રયત્ન કરશો તો ખરેખર જીવન ધન્ય બની જશે. હું તો આ૫ની સમક્ષ દરેક આર્ટીકલ એક પોસ્ટમાસ્ટરની મારફત પહોંચાડવા મથી રહ્યો છું અને રહીશ. આ૫ ૫ણ આ૫નાં સ્નેહી–સંબંધી–મિત્રોને માહિતગાર કરશો, તો મારી આ મહેનતને હું સફળ ગણીશ.
આપનો, જ્ઞાન વિતરક,
– કાંતિભાઈ કરસાળા.
આપની નીષ્ઠાપૂર્વકની ચેષ્ટાના સુફલ ચાખવા મળ્યા તેમાટે ખુબ ખુબ અભીનંદન !!!
LikeLike
Congratulations !
LikeLike