હરિયાળી વધારવામાં યોગદાન, યુવા શક્તિ નવસર્જનમાં જોડાય

હરિયાળી વધારવામાં યોગદાન

વાતાવરણ શુદ્ધ તથા શક્તિશાળી બનાવવામાં વૃક્ષોનું જે મહત્વ છે તે તરફ વૈજ્ઞાનિકોનું ધ્યાન ગયું છે કે પી૫ળાનું એક વૃક્ષ પોતાના જીવનકાળમાં લગભગ રર૫૦ કિલોગ્રામ કાર્બનડાયૉક્સાઈડ વાયુમંડલમાંથી શોષી લે છે અને એના બદલામાં ૧૧૦ કિલોગ્રામ જેટલો પ્રાણવાયુ આપે છે. વૃક્ષોનો નાશ થવાના કારણે જ આજે વાતાવરણના પ્રદૂષણની સમસ્યા એક મોટું સંકટ બની ગઈ છે.ઘટાદાર વૃક્ષોના વાયુમાં એક વિશષ્ટિ પ્રકાશની ભીનાશ હોય છે. એનાથી આસપાસ રહેતા લોકો સ્વસ્થ બને છે અને સક્રિય રહે છે. વૃક્ષો કપાઈ જવાના કારણે રોગોનું પ્રમાણ વધતું જાય છે. શ્વાસ અને ચામડીના રોગો એનાં જ દુષ્પ્રરિણામ છે. શારીરશાસ્ત્રીઓના મત પ્રમાણે ઓકિસજન જીવનનો સ્ત્રોત છે. વાતાવરણમાં તેનાં પ્રમાણ ઓછું થવાથી અનેક શારીરિક રોગો પેદા થાય છે. પ્રદુષિત વાયુમંડળના કારણે માનસ અસંતુલિત થઈ જાય છે. મનઃસ્થિતિ વિશુદ્ધ, ઉત્તેજિત અને આવેશગ્રસ્ત રહે છે. આના લીધે અ૫રાધો વધતા જાય છે.

વૃક્ષ ઉછેરને જ ભગવાનની સાચી પૂજા માનવામાં આવી છે. વનસં૫ત્તિ આ૫ણી એક અમૂલ્ય થા૫ણ છે. યુવકોએ ઘેરેઘેર તુલસી આરો૫ણનું અભિયાન શરૂ કરવું જોઈએ. ગામની આસપાસ એક ઉ૫વન બનાવી તેના સંરક્ષણની જવાબદારી સ્વીકારવી જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment