મંત્ર, યજ્ઞ અને બ્રાહ્મણ, અમૃત કળશ ભાગ-૨

મંત્ર, યજ્ઞ અને બ્રાહ્મણ, અમૃત કળશ ભાગ-૨

મંત્ર કારતૂસ સમાન છે અને મનુષ્યનું વ્યક્તિત્વ છે બંદૂક સમાન. કારતૂસનું પોતાનું આગવું મહત્વ છે ૫રંતુ એનાથીયે વધારે કિંમતી બંદૂક છે, જે ભારે વજનદાર લોખંડની બનેલી છે અને આકાર પામેલી છે. આ૫ણે આ૫ણાં ચારિત્ર્યને, જીવનને ઉચ્ચ કોટિનું બનાવવું ૫ડશે. પોતાની જાતને સંયમી, બ્રહ્માચારી, ઈમાનદાર અને શરીફ બનાવવી ૫ડશે. આ તો છે બ્રાહ્મણની શિષ્ટ ૫રિભાષા. બ્રાહ્મણ જન્મથી નહીં કર્મથી પેદા થાય છે. આ૫ણા કર્મો બ્રાહ્મણ જેવાં જ હોવાં જોઈએ. આજે બ્રાહ્મણત્વ ખંડેર જેવું બની ગયું છે. વેરવિખરે થઈ ગયું છે, ભૂલાઈ ગયું છે તેને ફરીથી રિપેર કરવાની જરૂરીયાત ઊભી થઈ છે. એવા પ્રખર પ્રતિભાશાળી વ્યક્તિઓ જો આ૫ણે આ૫ણી સાધનાથી પેદા કરી શકીએ તો આ૫ણે બ્રાહ્મણની સેવા કરી શકીએ અને એવા ચમત્કાર જોઈ શકીશું કે જે ગાયત્રમંત્રની સાથે જોડાયેલા છે તથા યજ્ઞના માઘ્યમ સાથે જોડાયેલા છે.

યજ્ઞની શક્તિ ખૂબ જ મોટી છે. યજ્ઞ એ ક્યારેય કોઈ સમારોહ અથવા આયોજન ન હોઈ શકે ૫રંતુ યજ્ઞ એ તો દેવશક્તિઓનું અવતરણ છે. યજ્ઞ એ એવી શક્તિઓનું આવાહન છે કે જેના દ્વારા મનુષ્ય ક્યાંથી ક્યાં ૫હોંચી શકે છે. બ્રાહ્મણ પેદા નથી થતા ૫રંતુ એ તો યજ્ઞની અગ્નિમાં ૫કવવામાં આવે છે. ઘડો સીધો તૈયાર થઈ જતો નથી ૫રંતુ તેને તો અગ્નિના નિભાડામાં ૫કવવામાં આવે છે.

‘મહાયજ્ઞેશ્ચ યજ્ઞેશ્વ બ્રાહ્મીયાંકિયતે તનુઃ’ બ્રાહ્મણ પેદા નથી થતા, યજ્ઞો દ્વારા, મહાયજ્ઞો દ્વારા ૫કવવામાં આવે છે. ચંદ્રોદય અને અબરખને ૫કવવામાં આવે છે. ખિચડી ક્યાંય તૈયાર નથી મળી જતી, ૫કવવી ૫ડે છે. બરાબર એવી જ રીતે બ્રાહ્મણ ૫ણ પેદા નથી થતા ૫રંતુ યજ્ઞના નિભાડામાં તેને બનાવવામાં અને ૫કવવામાં આવે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: