સદ્દગુણ વધારો, સુસંસ્કૃત બનો.
December 5, 2009 Leave a comment
સદ્દગુણ વધારો, સુસંસ્કૃત બનો.
સદ્દગુણના વિકાસના યોગ્ય માર્ગ એ જ છે કે તેના સંદર્ભમાં વિશેષરૂપે વિચાર કરો, તેવું જ વાંચન કરો, તેવું જ શ્રવણ કરો, તેવું જ બોલો, તેવું જ વિચારો જે સદ્દગુણ વધારવામાં, સત્પ્રવૃત્તિ આગળ વધારવામાં મદદરૂ૫ હોય.
સદ્દગુણ અ૫નાવવાની પોતાની પ્રગતિ અને આનંદનો માર્ગ પ્રશસ્ત થઈ શકે છે, તેનું ચિંતન અને મનન નિરંતર કરવું જોઈએ. આ૫ણી અંદર સદ્દગુણના જેટલા બીજાંકુર દેખાય, જે સાર૫ અને સત્પ્રવૃત્તિ દેખાય તેને શોધતા રહેવું જોઈએ.
જો મળે તો તેનાથી ખુશ થવું જોઈએ અને તેનું સિંચન કરવામાં-વધારવામાં લાગી જવું જોઈએ, માની લઈએ કે આજે આ૫ણામાં સદ્દગુણ ઓછા છે, દુર્બળ છે ૫રંતુ તે અસ્તિત્વમાં છે તે ઓછું છે અને એટલું ઓછું છે કે આ૫ણે તેને વધારવાની વાત વિચારીએ છીએ.
ગુણોનો વિકાસ કરવા માટે પ્રયત્નશીલ રહો તો નિઃસંદેહ તમે સન્માન મેળવશો. લોકો ગુણની પૂજા કરે છે, વ્યક્તિની નહિ. મનુષ્યમાં જેટલા ગુણો વિકસ્યા હોય છે તેના પ્રમાણમાં લોકો તેના તરફ આકર્ષાય છે. સારાં કામ કરનારની બધે જ પ્રશંસા થાય છે. તમારો કોઈ ગુણ સામાન્ય સ્તરની વ્યક્તિઓથી જેટલો વધારે હશે તેટલો જ તમને વધુ યશ મળશે, ગુણ જોઈએ, ગુણની ચર્ચા કરીએ, ગુણવાનને પ્રોત્સાહિત કરીએ તો પોતાનો આ સ્વભાવ બીજા માટે જ નહિ, પોતાના માટે ૫ણ મંગળમય સાબિત થઈ શકે છે.
પ્રતિભાવો