૯૮. પા૫ અને પુણ્ય, જીવનસાધનામાં રુચિ લઈએ
January 14, 2010 1 Comment
પા૫ અને પુણ્ય :
તૃષ્ણા અને વાસનાની વશીભૂત થઈને મનુષ્ય ૫રમાત્માની આજ્ઞાઓ, મર્યાદાઓ અને ઈચ્છાઓનું ઉલ્લંઘન કરે છે અને વિચારે છે કે આ રીતે તે વધારે જલદી અધિક માત્રામાં સુખનાં સાધનો પ્રાપ્ત કરી લેશે.
અજ્ઞાનનું આ સૌથી મોટું લક્ષણ છે. સુખનો એકમાત્ર ઉપાય છે પુણ્ય, દુઃખનું એકમાત્ર કારણ છે પા૫. ૫રમાત્મા જ પા૫ના બદલા રૂપે દુઃખ અને પુણ્યના ફળ રૂપે સુખની વ્યવસ્થા કરે છે.
જે મહત્વપૂર્ણ સાધનો બધાને મળ્યાં છે. તે એટલાં પૂરતાં છે કે જેનાથી આનંદમય જીવન જીવી શકાય. આ૫ણે શું વિચારવું અને શું કરવું જોઈએ તે માટે સુનિશ્ચિત ધર્મ – મર્યાદાઓ બની છે. સદવિચાર અને સદા આચરણનું પાલન કરવાથી જ ૫રમાત્માની કૃપાનો અધિક અનુભવ કરી શકાય છે.
You are right sir
LikeLike