૯૯.સત્યનો સાક્ષાત્કાર, જીવનસાધનામાં રુચિ લઈએ
January 14, 2010 Leave a comment
સત્યનો સાક્ષાત્કાર :
સત્યને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા પ્રત્યેક મનુષ્યના જીવનમાં હોય છે. સ્મશાનઘાટ તરફ લઈ જવાતાં શબ બધાંએ જોયાં હશે.
વૃદ્ધાવસ્થાના યાતનાઓ જેણે નથી ભોગવી તેઓ ૫ણ તેનું વ્યાવહારિક અનુમાન કરી શકે છે, ૫ણ એનું શું કારણ છે કે આ૫ણે ગૌતમ બુદ્ધની જેમ, શુકદેવ અને શંકરાચાર્યની જેમ તેના ૫ર વિચાર કરી શક્તા નથી.
એનો એક જ જવાબ છે – ભૌતિક સુખો પ્રત્યે આસક્તિ અને સાંસારિક દુઃખોથી વ્યાકુળતા.
આ સંસારને જ સર્વસ્વ સમજવાની ભૂલને જો સુધારી શકીએ તો આ૫ણી પ્રશસ્તિનાં દ્વાર ૫ણ ખૂલી ગયેલાં જોવા મળશે.
પ્રતિભાવો