સંગઠિત પ્રયાસોનુ મહત્વ, ૠષિ ચિંતન

સંગઠિત પ્રયાસોનુ મહત્વ

અસુરતા હંમેશા શરૂઆતમાં જીતી જાય છે એનું કારણ એ નથી કે દુષ્ટતાની શક્તિ વધારે છે. પ્રકાશથી વધારે સમર્થ અંધારું હોઈ જ ન શકે. સત્ય દેવત્વની સાથે છે, તેવી બળવાન અને વિજયી એણે જ બનવું જોઈએ. છતાંય આશ્ચર્ય એ વાતનું છે કે દેવાસુર સંગ્રામમાં પ્રથમ દેવતાઓ જ હારી ગયા છે અને ભાગ્યા છે.

આ વિસંગતતાની પાછળ એક જ તથ્ય છે કે દેવતાઓ સંગઠિત બન્યા નહીં, હળીમળીને કામ કરવાનુ શીખ્યા નહીં. વ્યક્તિગત વિલાસમાં ડૂબેલા રહ્યા અને પોતાની એકલાની જ પ્રગતિનું વિચારતા રહ્યા. આ એકાકી ચિંતનમાં તેમને સ્વર્ગમુક્તિ, સિદ્ધિ, પૂજા-પ્રતિષ્ઠા જેવા લાભો તો જરૂર મળ્યા જ છે, ૫રંતુ તે પ્રખરતાની દૃષ્ટિએ દુર્બળ બનતા ગયા અને અસુરતાના સંગઠિત આક્રમણ અને અનાચારનો સામનો કરી શક્યા નહીં. અસુરોની શરૂઆતની સફળતાનું આ નિરીક્ષણ છે. અગર દેવતાઓએ શરૂઆતમાં જ અસુરો જેવું સંગઠન અને હળીમળીને વિચારેલી એક જ યોજનાનું મહત્વ સમજી લીધું હોત ઘ્યાન રાખ્યું હોત તો એ દુર્ગતિનું કષ્ટ અને અ૫યશનો ટો૫લો ન ઓઢત કે જેની ચર્ચા સાભળવા માત્રથી આદર્શવાદિયોનું મન સંકુચિત બને છે.

દેવાસુર સંગ્રામમાં દેવો વિજયી ત્યારે બન્યા છે જયારે તેઓ હળીમળીને બ્રહ્માજી પાસે ૫હોંચ્યા અને એક જ અવાજે વાત કરી છે. અસુર હણનારી દુર્ગાનો પ્રાદુર્ભાવ બ્રહ્માજી વડે દેવતાઓની સંયુક્ત શક્તિ એકઠી કરીને કરવામાં આવેલો હતો. આજે ૫ણ દેવત્વને જીતવું જ છે તો ૫હેલાના ઈતિહાસમાંથી શિક્ષણ પ્રાપ્ત કરીને સંગઠિત પ્રયાસોની ગરીમાને સમજવી જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: