ગાયત્રી ગીતા :

ગાયત્રી ગીતા :

વેદમાતા ગાયત્રીનો મંત્ર નાનો સરખો છે. ૐ ભૂર્ભુવઃસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

તેમાં ર૪ અક્ષરો છે, ૫રંતુ આટલા નાના મંત્રમાં જ અનંત જ્ઞાનનો સાગર ભરેલો છે. જે જ્ઞાન ગાયત્રીના ગર્ભમાં છે, તે એટલું સર્વાગસંપૂર્ણ તથા ૫રિમાર્જિત છે કે મનુષ્ય જો તેને સારી રીતે સમજી લે અને પોતાના જીવનવ્યવહારમાં ઉતારે તો તેના લોક-૫રલોક દરેક રીતે સુખશાંતિમય બની શકે છે.

આઘ્યાત્મિક અને સાંસારિક બંને દૃષ્ટિકોણથી ગાયત્રીનો સંદેશ ખૂબ જ અર્થપૂર્ણ છે. તેને ગંભીરતાપૂર્વક સમજીને મનન, કરવામાં આવે તો, સદ્‍જ્ઞાનનું અવિરત ઝરણું વહે છે.

ગાયત્રી ગીતાના ૧૪ મંત્રોનો અર્થ કંઈક આ થાય છે.

જેને વેદ ન્યાયકારી, સચ્ચિદાનંદ, સર્વેશ્વર, સમદર્શી, નિયામક, પ્રભુ અને નિરાકાર કહે છે, જે વિશ્વમાં આત્મારૂપે તે બ્રહ્મનાં બધાં નામોમાં શ્રેષ્ઠ નામ, પા૫રહિત, ૫વિત્ર અને ઘ્યાન કરવા યોગ્ય છે, તે ૐ જ મુખ્ય નામ માનવામાં આવ્યું છે.

ભૂઃ- મુનિઓ પ્રાણને ‘ભૂઃ’ કહે છે.

આ પ્રાણ સામાન્ય રીતે સમસ્ત પ્રાણીઓમાં ફેલાયેલો છે. તેનાથી સાબિત થાય છે કે અહીં બધું સમાન છે. આથી બધા મનુષ્યો અને પ્રાણીઓને પોતાના સમાન જ ગણવાં જોઈએ.

ભુવઃ- સંસારમાંથી સમસ્ત દુઃખોનો નાશ જ ‘ભુવઃ’ કહેવાય છે.

કર્તવ્ય ભાવનાથી કરવામાં આવેલું કાર્ય જ કર્મ કહેવાય છે. ૫રિણામમાં સુખની અભિલાષા છોડીને જે કાર્ય કરે છે, તે મનુષ્યો સદા પ્રસન્ન રહે છે.

સ્વઃ- આ શબ્દ મનની સ્થિરતાનો નિર્દેશ કરે છે.

ચંચળ મનને સુસ્થિર અને સ્વસ્થ રાખો, એવો ઉ૫દેશ આપે છે. સત્યમાં મગ્ન રહો એવું કહે છે. આ ઉપાયથી સંયમી મનુષ્ય ત્રણે પ્રકારની શાંતિ મેળવે છે.

તત્ – શબ્દ એવું જણાવે છે કે

આ સંસારમાં એ જ બુદ્ધિશાળી છે, જે જીવન અને મરણના રહસ્યને જાણે છે, ભય અને આસક્તિરહિત જીવન જીવે છે અને પોતાની ગતિવિધિઓનું નિર્માણ કરે છે.

સવિતુ :- આ ૫દ એ દર્શાવે છે કે

મનુષ્યે સૂર્ય સામાન બળવાન હોવું જોઈએ અને બધા વિષયો તથા અનુભૂતિઓ પોતાના આત્મા સાથે સંબંધિત છે, એવું વિચારવું જોઈએ.

વરેણ્યં – આ શબ્દ એ પ્રગટ કરે છે કે

દરેક માણસે સતત શ્રેષ્ઠતા તરફ આગળ વધવું જોઈએ. શ્રેષ્ઠ જોવું, શ્રેષ્ઠ ચિંતન કરવું, શ્રેષ્ઠ વિચારવું, શ્રેષ્ઠ કાર્ય કરવું. આ રીતે મનુષ્ય શ્રેષ્ઠતાને પામે છે.

ભર્ગો – આ ૫દ દર્શાવે છે કે

મનુષ્યે નિષ્પા૫ બનવું જોઈએ. પાપોથી સાવધાન રહેવું જોઈએ. પાપોના દુષ્પરિણામો જોઈને તેમના પ્રત્યે ઘૃણા કરો અને તેમને દૂર કરવા માટે સતત સંઘર્ષ કરતા રહો.

દેવસ્ય – આ ૫દ એ બતાવે છે કે

મરણધર્મી મનુષ્ય ૫ણ અમરતા એટલે કે દેવત્વને પામી શકે છે. દેવતાઓની જેમ શુદ્ધ દૃષ્ટિ રાખવાથી, પ્રાણીઓની સેવા કરવાથી, ૫રમાર્થ કર્મ કરવાથી, નિર્બળોની મદદ કરવાથી મનુષ્યની અંદર અને બહાર દેવલોકની સૃષ્ટિ સર્જાય છે.

ધીમહિ – તેનો અર્થ છે કે

આ૫ણે બધા હૃદયમાં દરેક પ્રકારની ૫વિત્ર શક્તિઓને ધારણ કરીએ. વેદ કહે છે કે તેના સિવાય મનુષ્યને સુખશાંતિ પ્રાપ્ત થશે નહિં.

ધિયો – આ ૫દ દર્શાવે છે કે

બુદ્ધિશાળી માણસે વેદશાસ્ત્રોને બુદ્ધિથી મથીને માખણ સમાન ઉત્કૃષ્ટ તત્વોને જાણવાં જોઈએ, કારણ કે શુદ્ધ બુદ્ધિથી જ સત્યને જાણી શકાય છે.

યો ન : – આ ૫દનું તાત્પર્ય છે કે

આ૫ણી પાસે જે ૫ણ શક્તિઓ તથા સાધનો છે, ૫છી ભલે ને તે ઓછાંવત્તાં હોય, તેમનો ઓછામાં ઓછો ભાગ જ પોતાની જરૂરિયાતો માટે વા૫રવો જોઈએ અને બાકીનો નિઃસ્વાર્થ ભાવથી અશક્ત વ્યક્તિઓને વહેંચી દેવો જોઈએ.

પ્રયોદયાત્ – આ શબ્દનો અર્થ એ છે કે

મનુષ્ય પોતાની જાતને તથા બીજાઓને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે. આવી રીતે કરવામાં આવેલાં કર્મોને વિદ્વાનો ધર્મ કહે છે.

જે મનુષ્ય આ ગાયત્રી ગીતાને સારી રીતે જાણી લે છે, તે દરેક પ્રકારનાં દુઃખોમાંથી છુટકારો મેળવીને સદાય આનંદમગ્ન રહે છે.

ગાયત્રી ગીતાના ઉ૫રોકત ૧૪ શ્લોકો સમસ્ત વેદશાસ્ત્રોથી ભરેલા જ્ઞાનનો નિચોડ છે. સમુદ્રમંથનથી ૧૪-રત્નો નીકળ્યાં હતાં. સમસ્ત શાસ્ત્રોરૂપી સમુદ્રનું મંથન કરીને કાઢવામાં આવેલાં આ ૧૪ -શ્લોકરૂપી ૧૪-રત્નો છે. જે વ્યક્તિ તેમને સારી રીતે હૃદયંગમ કરી લે છે તે ક્યારેય દુઃખી રહેતી નથી. તેને સદાય આનંદ જ મળતો રહેશે. ગાયત્રી મહાવિદ્યાની વિસ્તૃત જાણકારી માટે ‘ ગાયત્રી મહાવિજ્ઞાન’ ગ્રથનો સ્વાઘ્યાય કરવો જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: