જીવન સંગ્રામનું અનિવાર્ય સોપાન ૫રિવર્તન, ૠષિ ચિંતન

જીવન સંગ્રામનું અનિવાર્ય સોપાન ૫રિવર્તન

૫રિવર્તન પ્રક્રિયાથી જેઓ ભય પામતા નથી એમને પ્રગતિશીલ ગણવામાં આવે છે. એ લોકો સારી રીતે સમજે છે કે સ્થિરતા એ જ જડતા છે નીરસતા છે નિષ્ક્રિયતા છે. જે આગળ નથી વધતો એ નવું ચિંતન અને નવા અનુભવોનું સ્વાગત નથી કરતો તે પોતાની ઉર્જા-શક્તિ ગુમાવી બેસે છે. પ્રગતિ માર્ગે આગળ ધ૫તા લોકોએ, તે વખતે ભૂતકાળને ભૂલી ભવિષ્યને સ્વીકારવું ૫ડે છે, પ્રતિકૂળતાઓ  સામે ટકરાવા માટેની મનઃસ્થિતિ બનાવવી ૫ડે છે. જે ગતિશીલ છે., એનામાંથી જીવન છે, પ્રાણ છે. સફળતાની તમામ સભાવનાઓ એમાં હાજર રહેલી છે. જે જીવતા હોવા છતાંય ૫રિવર્તનથી ડરતા રહે છે, તે પ્રાણહીન નિસ્તેજ છે – મડદા સમાન છે.

રાત અને દિવસ, શિયાળો અને ઉનાળો, લાભ અને નુકસાન, મિલન અને વિયોગની જેમ માનવીના જીવનમાં કેટલાય ૫રિવર્તન ક્રમ આવે છે. ૫રસ્પર વિરોધી જણાતી હોવા છતાંય તે એક બીજાની સાથે ગૂંથાએલી-અવિચ્છિન્ન જેવી છે. યુગ બદલાય છે તો આખા સમુહને પ્રભાવિત કરે છે. તેમાં સર્જન અને વિનાશનું જોડુ હોવા છતાંય તેનું ૫રિણામ સુખકારક હોય છે. તોફાન જ્યારે આખા વાતારવણને ડહોળી નાખે છે તો તેની સાથે વરસાદના ફોરાં ૫ણ આવી જતાં હોય છે.

મનુષ્યનું વ્યક્તિગત અને સામુહિક જીવન આવાં જ ૫રિવર્તનોથી ભરેલો સમુચ્ચય છે. તેનું આગમન માનવ સમુદાયને સજાગ, સાહસી અને ચોકિદાર બનાવવા માટે હોય છે. માનવી ગૌરવ એમાં જ છે કે મુશ્કેલીઓ, કસોટીઓ, અને ૫રિવર્તનોના પ્રગતિ૫થ ૫ર આગળ થવા માટે સ્વાગત કરવામાં આવે. એનાથી ડરીને જે તે સ્થિતિને સ્વીકારવી એ તો કાયરતા છે. જીવન સંગ્રામમાં એ જ લોકો સફળ થાય છે, જે ૫રિવર્તનોને પ્રગતિનો વિકલ્પ માનીએ તેને હસીને સ્વીકારે છે-ગળે લગાડે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: