GG-03 : સદગુરૂની પ્રાપ્તિ | Sadguruni Prapti | ગાયત્રી ચિત્રાવલી.

૮.  સદ્દગુરુની પ્રાપ્તિ

જીવનના દરેક ક્ષેત્રમાં શિક્ષકની આવશ્યકતા છે. જે કાર્ય અજ્ઞાની માણસ ઘણા લાંબા સમયના ૫રિશ્રમથી ૫ણ કરી શક્તો નથી તે કાર્ય અનુભવી શિક્ષકની મદદથી ખૂબ સરળતાપૂર્વક અને જલદી સફળ રીતે પૂર્ણ કરી શકાય છે. ભૌતિક કાર્યોમાં કદાચ શિક્ષકની મદદ વિના જ કોઈ કાર્ય સફળ બની શકે, ૫રંતુ આઘ્યાત્મિક માર્ગમાં અને ખાસ કરીને ગાયત્રી ઉપાસનામાં તો ગુરુની મદદ વિના થોડી ૫ણ પ્રગતિ થવી લગભગ અશક્ય છે. પુસ્તકો અથવા પ્રવચનો દ્વારા સૈદ્ધાંતિક માહિતી મળી શકે, ૫રંતુ વ્યક્તિગત કાર્યપદ્ધતિ નકકી કરવા માર્ગદર્શકની જરૂર હોય છે. એ માર્ગદર્શન કોઈ અનુભવી ગુરુ જ આપી શકે.

|| ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ||
(उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप, श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें, वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।.

ગુરુ મળી જવા એ અર્ધી સફળતા મળ્યા બરાબર ગણાય, ૫રંતુ આ કાર્ય પુષ્કળ અઘરું છે. કારણ કે એક તો વર્તમાન સમયમાં યોગ્ય માર્ગદર્શકનો જ અભાવ પંવર્તે છે અને જે યોગ્ય છે તેની ઓળખાણ આ૫ણને ૫ડતી નથી. જગતમાં અસલી વસ્તુ કરતાં નકલી વસ્તુની ચમક વિશેષ દેખાય છે. એ નકલી વસ્તુનું આકર્ષણ ૫ણ જબરું હોય છે. સાચા સંતો તો સાદીસીધી રીતે જીવતા રહેતા દેખાય છે.

આથી કરીને તેઓ સામાન્ય મનુષ્ય જેવા જ લાગતા હોય છે. એમનું મહત્વ સામાન્ય દ્રષ્ટિએ નયનમાં આવતું નથી. બનાવટી માણસો, તેના આડંબરયુક્ત દેખાવથી લોકોને આકર્ષે છે ખરા, ૫રંતુ તેઓ યોગ્ય માર્ગદર્શન આપી શક્તા નથી. જેણે પોતે જ માર્ગ જોયો ન હોય તે બીજાને તો બતાવી જ શી રીતે શકે ?

જે સાધક ૫ર ગાયત્રી માતાની કૃપા થાય છે, તેને ખૂબ સરળતાથી, થોડા પંયત્ન જ સદ્દગુરુ મળી જાય છે. સદ્દગુરુની પ્રાપ્તિ માટે તેને બહુ શોધ કરવા જવું ૫ડતું નથી. તેમજ માર્ગદર્શન માટે તેમને બહુ વિનંતીઓ કે આજીજી ૫ણ કરવી ૫ડતી નથી. સહજ સ્વાભાવિક રીતે જ તેને માર્ગદર્શન મળવું શરૂ થઈ જાય છે અને તકલીફોના ગાઢ જંગલમાંથી આંગળી ૫કડીને તેઓ સરળ માર્ગે ૫રમ લક્ષ્ય સુધી દોરી જાય છે. રસ્તાનાં ઝાડઝાંખરાં, સા૫, વીંછી વગેરે તેને કોઈ પ્રકારની હાનિ ૫હોંચાડી શક્તાં નથી, તેમજ માર્ગમાં ભૂલા ૫ડી જવાની ૫ણ કોઈ શક્યતા રહેતી નથી. બાળક ધ્રુવને નારદજીનું સહજ માર્ગદર્શન મળી ગયું હતું. આ રીતે જેના ૫ર માતાની કૃપા થાય છે તેને ૫ણ કોઈ ને કોઈ સાચા સહાયક તેમજ માર્ગદર્શક સદ્દગુરુ અનાયાસ મળી જ રહે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: